SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જાતિસ્મરણજ્ઞાન પ૯ પૂર્વના પરિચિત આત્માઓને ઓળખવા, તે આત્માઓના જન્મ ફરી જવા છતાં ઓળખવા, તેનું સ્મરણ થાય એવા સંસ્કાર અથવા ધારણા હોતી નથી છતાં પણ મતિની કોઈ એવી નિર્મળતારૂપ સ્થિરતાને કારણે સ્મરણ સાથેની નિર્મળતાને કારણે-( જોકે અરૂપી આતમા દેખાતો નથી તોપણ) વર્તમાન એની દેહપર્યાય ખ્યાલમાં હોય ને પૂર્વની દેહપર્યાય પણ જોયેલી હોય, પરિચયમાં હોય, તેથી પૂર્વે જે પુરુષ જોયો હતો તે જ આ પુરુષ છે તેમ જાણી શકાય છે, ઓળખી શકાય છે. પૂર્વે જે આ પુરુષ જોયો હતો અથવા આ આત્માઓ પૂર્વે જે જોયા હતા તે “જ” આ આત્માઓ છે એમ મતિની નિર્મળતારૂપ સ્થિરતાને કારણે જ્ઞાનમાં સહજ સચોટપણે નિઃસંદેહપણે પકડાઈ જાય છે. તે આત્મા સીધો અહીં જન્મ પામેલ છે કે બીજે કયાંય વચ્ચે ગયેલ તે પણ જણાય છે; જો સીધો આવેલ હોય તો પૂર્વના પુરુષની ને અત્યારના પુરુષની સીધી સંધિ, જ્ઞાનમાં આવે છે; નહિ તો સીધી સંધિ આવતી નથી પણ વચ્ચે આડું કયાંય ગયેલ હોય તેમ જ્ઞાનમાં આવે છે. પરમકૃપાળુ સદ્ગુરુદેવના કૃપામય ઉપકારને અત્યંત ભક્તિથી વારંવાર નમસ્કાર શ્રી પ્રભુ સીમંધર ભગવાનનો તો અત્યારે આ કાળે વિરહ પડયો, પણ પરમકૃપાળુ સદ્દગુરુદેવનો નજીકનો પરિચય ઈચ્છવા છતાં વર્તમાન તેમનાથી દૂર પડયા તે પૂર્વ પરિણતિનો દોષ છે. તે અપરાધની ક્ષમા ઈચ્છીએ છીએ. Please inform us of any errors on [email protected]
SR No.008218
Book TitleBahenshree no Gyanvaibhav
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy