________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
नमः श्रीसर्वज्ञवीतरागाय
* ઉપોદ્યાત * ભારતવર્ષના ધર્મજિજ્ઞાસુ જીવોના મહાન ભાગ્યોદયે આ પ્રવર્તમાન વીસ-એકવીસમી શતાબ્દીમાં અધ્યાત્મમૂર્તિ આત્મજ્ઞસંત સપુરુષ પરમોપકારી પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનો, સ્વાનુભૂતિપ્રધાન સદ્ધર્મનો પુનઃ અભ્યદય કરવા, મહાન ઉદય થયો. પૂર્વના પ્રબળ સંસ્કાર, ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસારના ગહન અધ્યયન અને પોતાના જ્ઞાન, વૈરાગ્ય ને ઉપશમ રસભીના અંતર્મુખ સાતિશય પુરુષાર્થ વડે તેમણે સ્વાનુભવરસઝરતી આત્મસાધના સાધીને પોતાનાં વ્યાખ્યાનોમાં શ્રી વીર-કુંદઅમૃતપ્રરૂપિત અધ્યાત્મધર્મનો પરમ ઉધોત કર્યો, જેથી ઘણા જીવો તે સમજવા માટે તૈયાર થઈ ગયા. વીતરાગ મોક્ષમાર્ગને અત્યંત સ્પષ્ટપણે સમજાવનાર આવા સમર્થ ગુરુદેવ આ વિષમ કાળે મળ્યા તે મુમુક્ષુઓનાં મહાભાગ્ય છે. ખરેખર ગુરુદેવનો ઉપકાર અમાપ છે.
આગમ, યુક્તિ ને સ્વાનુભવના વજૂખડક ઉપર અડગપણે ઊભા રહીને શ્રી જિનંદ્રદેવનું તાત્ત્વિક હાઈ પ્રકાશિત કરનાર પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીની પ્રબળ વાણીના પુનિત યોગે ૧૮ વર્ષની બાળવયમાં જેમણે અતીન્દ્રિયઆનંદઝરતો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk