________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
3O
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
(ગુરુદેવને લખી મોકલ્યું)
૧૯૯૪, માગશર સુદ સાતમને શુક્રવાર શ્રી સોનગઢ શ્રી સદ્ગુરુદેવને તથા તેમના પરમ ઉપકારને નમસ્કાર.
પૂર્વજન્મનું આવેલું સ્મરણ ચૈત્ર વદ આઠમ ને સોમવાર, ૧૯૯૩, સવારના દસ લગભગ.
આત્મસ્થિરતા વધતા, શ્રી કુંદકુંદાચાર્ય અહીંથી મહાવિદેહક્ષેત્રમાં ગયા છે એમ સહજ જ્ઞાનની પર્યાય પરિણમતાં, તેની સાથે તે ક્ષેત્રમાં આ આત્મા પુરુષદેહપણે ત્યાં બેઠો છે; શ્રી સીમંધર પ્રભુ ત્યાં બિરાજી રહ્યા હતા. સામા શ્રી કુંદકુંદાચાર્ય ઊભા છે; શ્રી શ્રુતકેવળી વગેરેનાં ટોળા ત્યાં બિરાજી રહ્યા હતા; - એમ સ્મરણરૂપ વેદન સહજ આવ્યું.
શ્રી કુંદકુંદાચાર્ય તદ્દન વસ્ત્ર રહિત દિગંબરપણે હતા. મોટા યોગીશ્વર જેવો તેમના દેહનો દેખાવ હતો. એમના રૂંવાડે રૂંવાડ દેહાતીત દશા દેખાતી હતી. એમના દેહનું કદ ઊચું હતું. એમના શરીરનો વર્ણ બહુ ધોળો નહિ, બહુ રાતો નહિ એવી જાતનો હતો. પીંછી કે કમંડલ એમની પાસે નહોતા શરીર પાતળું નહોતું પણ ઠીક ઠીક ભરાવદાર હતું.
શ્રી તીર્થકર સીમંધર પ્રભુના શરીરમાં, હીરામાં જેમ ચમક થઈ રહી હોય એવી રીતે, કાંઈક ચમક જેવું પરિણમન થઈ રહ્યું
S૦ બાબુ.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk