SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનો જ્ઞાનવૈભવ કહેઃ “હુજી કાંઇ સમજાણું નહિ.' ત્યારે બહેનશ્રી ફરીને કહે: “ચપ્પ આપો ને!'- એમ, તેમની મધુર ભાષા સાંભળવા માટે, ફરી ફરીને બોલાવતા. તેઓ સ્વભાવે નરમ પણ એટલાં જ હતાં. માળામાં નીચે પાણીના સહિયારા નળ હતા. ત્યાં પાણી ભરવા જાય તો તેઓ એક બાજુ ઊભાં રહે. તમનો વારો આવે તો પણ પોત ભીડની અંદર જઇન ભરી શકે નહિ. પછી એવી છાપ પડી ગયેલી કે બીજાં બહેનો. જે ત્યાં હોય તે. હેઃ “ચંપાને પાણી ભરી લેવા દો! તે તો એક બાજુ ઊભી જ રહેશે, પાણી નહિ ભરી શકે.' બહેનશ્રી પહેલેથી આવાં નરમ સ્વભાવનાં હતાં. આવા ઘણા સદગુણો તેમનામાં હતા. બહેનશ્રીને બાળપણથી જ સગુણી વ્યક્તિઓ પ્રત્યે પ્રેમ હતો, તેમાંય સતીઓનું તો ખૂબ આકર્ષણ. “સતીમંડળ' નામનું પુસ્તક તેમને ઇનામમાં મળેલ હતું તેમાંથી સતીઓના ચરિત્રો તેઓ વાંચતાં તથા કેટલીક સતીઓનાં ચરિત્રો સંબંધી રાસ- ગરબા તેઓ માળાના ચોગાનમાં ગવરાવતાં અને અન્ય બાળાઓ ઝીલતી. બીજાં પણ નૈતિક પુસ્તકો, સદાચરણનાં પુસ્તકો તેઓ વાંચતાં. એવાં સારાં સારા પુસ્તકો વાંચવાનો તેમને પહેલેથી જ પ્રેમ હતો. તેમણે ધાર્મિક અભ્યાસ ઘરે બેઠાં બેઠાં વાંચીને, અથવા કોઇ બહેનની સાથે સામાયિક-પ્રતિક્રમણ વગેરે કરતાં તે દરમ્યાન કર્યો હતો. ધર્મસ્થાનક ત્યાં હતું, પણ બહુ દૂર. ત્યાં બહારથી આવેલા કોઈ પંડિતો વ્યાખ્યાન વાંચતા, પણ તે ઉપદેશ સાંભળવા જવાનું તો કોઇક વાર બનતું. કોઈ વાર ઘરે બપોરે સામાયિક કરે ને રાત્રે પ્રતિક્રમણ કરે. શાળાનો અભ્યાસ છોડ્યા પછી તો તેઓ બપોરે ઘરે સામાયિક ઘણીવાર કરતા; ત્યાગવૈરાગ્યની ક્રિયાઓ પણ કરતાં. સામાયિકનો પાઠ શીખેલાં ને પ્રતિક્રમણ પણ મુખપાઠ કરેલું. તદુપરાંત થોકડામાં નવ તત્ત્વ, છે કાયના બોલ, દંડક, ગતિ-આગતિ, ગુણસ્થાન-એ બધું, યથાશક્તિ વિચારપૂર્વક, મુખપાઠ કરેલું. પુચ્છિન્નુણે, ભક્તામર તથા કલ્યાણમંદિર વગેરે સ્તોત્ર કંઠસ્થ કર્યા હતાં. બીજાં ધાર્મિક વાંચન પણ કરતાં. બહેનશ્રી કહેતાઃ “ ત્યાં પંડિત “લાલન” નું એક પુસ્તક હતું. તેમાં એમ આવતું કે “આંખ બંધ કરો, કાન બંધ કરો, અંદર જે એક વિચારક તત્ત્વ છે તે આત્મા છે.' તે વાત મને ગમતી. તે વિચારક તત્ત્વ કોણ છે તે સમજવા Please inform us of any errors on [email protected]
SR No.008218
Book TitleBahenshree no Gyanvaibhav
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy