________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
મુનિદશામાં વધારે લીનતા થાય અને કેવળજ્ઞાન પ્રગટી પરિપૂર્ણ મુક્તિપર્યાય પ્રાપ્ત થાય. ૧૬૭.
સમ્યગ્દર્શન થતાં જ જીવ ચૈતન્યમહેલનો માલિક થઈ ગયો. તીવ્ર પુરુષાર્થીને મહેલમાંનો અસ્થિરતારૂપ કચરો કાઢતાં ઓછો વખત લાગે, મંદ પુરુષાર્થીને વધારે વખત લાગે; પરંતુ બન્ને વહેલામોડા બધો કચરો કાઢી કેવળજ્ઞાન અવશ્ય પ્રાપ્ત કરશે જ. ૧૬૮.
વિભાવોમાં અને પાંચ પરાવર્તનોમાં કયાંય વિશ્રાંતિ નથી. ચૈતન્યગૃહુ જ ખરું વિશ્રાંતિગૃહ છે. મુનિવર તેમાં વારંવાર નિર્વિકલ્પપણે પ્રવેશી વિશેષ વિશ્રામ પામે છે. બહાર આવ્યા-ન આવ્યા ને અંદર જાય છે. ૧૬૯.
એક ચૈતન્યને જ ગ્રહણ કર. બધાય વિભાવોથી પરિમુક્ત, અત્યંત નિર્મળ નિજ પરમાત્મતત્ત્વને જ ગ્રહણ કર, તેમાં જ લીન થા, એક પરમાણુમાત્રની પણ આસક્તિ છોડી દે. ૧૭૦.
એક મ્યાનમાં બે તલવાર સમાઈ શકતી નથી.
Please inform us of any errors on rajesh@atmadharma.com