________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૨૭
છે. જોકે આત્મા કર્મમાં પ્રવેશ કરીને કાંઈ કરતો નથી, તોપણ ભાવને અનુરૂપ જ ચિતરામણ સ્વયં થઈ જાય છે. હવે દર્શનરૂપ, જ્ઞાનરૂપ, ચારિત્રરૂપ પરિણમન કર તો સંવર-નિર્જરા થશે. આત્માનો મૂળ સ્વભાવ દર્શન-જ્ઞાનચારિત્રરૂપ છે, તેનું આલંબન કરતાં દ્રવ્યમાં જે (શક્તિરૂપે) પડ્યું છે તે (વ્યક્તિરૂપે) બહાર આવશે. ૭૬.
અનંત કાળથી જીવને પોતાથી એકત્વ અને પરથી વિભક્તપણાની વાત રુચી જ નથી. જીવ બહારથી ફોતરાં ખાંડયા કરે છે પણ અંદરનો જે કસ-આત્મા –તેને શોધતો નથી. રાગ-દ્વેષનાં ફીફા ખાંડવાથી શો લાભ છે? તેમાંથી દાણો ન નીકળે. પરથી એકત્વબુદ્ધિ તોડી જુદા તત્ત્વનેઅબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત આત્માને-જાણે, તો કાર્ય થાય. ૭૭.
સ્વરૂપની લીલા જાત્યંતર છે. મુનિરાજ ચૈતન્યના બાગમાં રમતાં રમતાં કર્મના ફળનો નાશ કરે છે. બહારમાં આસક્તિ હતી તે તોડી સ્વરૂપમાં મંથર – સ્વરૂપમાં લીન-થઈ ગયા છે. સ્વરૂપ જ તેમનું
Please inform us of any errors on rajesh@atmadharma.com