________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
(૧૮૧) ભવ્યોનાં દિલમાં દીવડા પ્રગટાવનાર
| [ રાગ - સોહાગમૂર્તિ શી રે કે ] જન્મવધાઈના રે કે સૂર મધુર ગાજે સાહેલડી, તેજબાને મંદિરે રે કે ચોઘડિયાં વાગે સાહેલડી; કુંવરીનાં દર્શને રે કે નરનારી હરખે સાહેલડી, વીરપુરી ધામમાં રે કે કુમકુમ વરસે સાહેલડી.
સીમંધર-દરબારના, બ્રહ્મચારી ભડવીર;
ભરતે ભાળ્યા ભાગ્યથી, અતિશય ગુણગંભીર. નયનોના તેજથી રે કે સુર્યતેજ લાજે સાલડી, શીતળતા ચંદ્રની રે કે મુખડ વિરાજે સાહેલડી; ઉરની ઉદારતા રે કે સાગરના તોલે સાહેલડી, ફૂલની સુવાસતા રે કે બેનીબાના બોલે સાહેલડી.... જન્મ
જ્ઞાનાનંદસ્વભાવમાં, બાળવયે કરી જોર;
પૂર્વારાધિત જ્ઞાનનો, સાંધ્યો મંગલ દોર. જ્ઞાયકના બાગમાં રે કે બેનીબા ખેલે સાહેલડી, દિવ્ય મતિ-શ્રુતનાં રે કે જ્ઞાન ચડ્યાં હેલે સાહેલડી; જ્ઞાયકની ઉગ્રતા રે કે નિત્ય વૃદ્ધિ પામે સાહેલડી, આનંદધામમાં રે કે શીધ્ર શીધ્ર જામ સાહેલડી. જન્મ
Please inform us of any errors on rajesh@atmadharma.com