________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
(૭) આ “બહેનશ્રીનાં વચનામૃત' નામના પુસ્તકની પહેલી આવૃત્તિ (પ્રત ૩૧OO) દ્વિતીય શ્રાવણ વદ બીજ, વિ. સં. ૨૦૩૩ – પૂજ્ય બહેનશ્રીની ૬૪ મી જન્મજયંતી-ના મંગલ દિને ટ્રસ્ટ તરફથી પ્રકાશિત કરવામાં આવી હતી. તે પ્રથમ આવૃત્તિ એક માસ જેવા બહુ અલ્પ સમયમાં ખપી જવાથી, તેની બીજી આવૃત્તિ (પ્રત ૬OOO) વિ. સં. ૨૦૩૪, માગશર વદ આઠમના રોજ પ્રકાશિત કરવામાં આવી હતી. તે બીજી આવૃત્તિ પણ ટૂંક સમયમાં ખપી જવાથી તથા વાચક મુમુક્ષુવર્ગ દ્વારા આ પુસ્તકની તીવ્ર માગ હોવાથી તેનું પુનઃ મુદ્રણ કરાવી આ ત્રીજી આવૃત્તિ (પ્રત ૧૦,000)નું પ્રકાશન કરતાં અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ.
અંતમાં, અમને આશા છે કે અધ્યાત્મરસિક જીવો પૂજ્ય બહેનશ્રીની સ્વાનુભૂતિરસધારામાંથી વહેલાં આ આત્મસ્પર્શી વચનામૃત દ્વારા આત્માર્થની પ્રબળ પ્રેરણા પામી પોતાના સાધનાપથને સુધાઅંદી બનાવશે.
ફાગણ વદ દશમ, વિ. સં. ૨૦૩૪
શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
સોનગઢ
Please inform us of any errors on rajesh@atmadharma.com