________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૧૩
જોઈએ. “હું કાંઈક છું' એમ થાય તો સેવકપણે છૂટી જાય છે. સેવક થઈને રહેવામાં લાભ છે. સેવકપણાનો ભાવ ગુણસમુદ્ર આત્મા પ્રગટવાનું નિમિત્ત થાય છે. ૩૩૪.
બહારના ગમે તેવા સંયોગમાં ધર્મ ન છોડવો, ચૈતન્ય તરફની રુચિ ન છોડવી. ધર્મ કે રુચિ છૂટે તો અમૂલ્ય મનુષ્યભવ હારી ગયા. ૩૩૫.
કર્મોના વિવિધ વિપાકમાં જ્ઞાયકભાવ ચળતો નથી. જેમ કાદવમાં કમળ નિર્લેપ રહે છે, તેમ ચૈતન્ય પણ ગમે તે કર્મસંયોગમાં નિર્લેપ રહે છે. ૩૩૬.
દ્રવ્યને ગ્રહણ કરતાં શુદ્ધતા પ્રગટે, ચારિત્રદશા પ્રગટે, પણ જ્ઞાની તે પર્યાયોમાં રોકાતા નથી. આત્મદ્રવ્યમાં ઘણું પડ્યું છે, ઘણું ભર્યું છે, તે આત્મદ્રવ્ય પરથી જ્ઞાનીની દષ્ટિ ખસતી નથી. જો પર્યાયમાં રોકાય, પર્યાયમાં ચોંટી જાય, તો મિથ્યાત્વમાં આવી જાય. ૩૩૭.
શુભભાવમાં શ્રમ પડે છે, થાક લાગે છે, કારણ
Please inform us of any errors on rajesh@atmadharma.com