SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ૧૦૪ બહેનશ્રીનાં વચનામૃત છે અને જ્ઞાયકપણે પરિણમી જાય છે. ૩૦૯. * ચૈતન્યલોક અદ્દભુત છે. તેમાં ઋદ્ધિની ન્યૂનતા નથી. રમણીયતાથી ભરેલા આ ચૈતન્યલોકમાંથી બહા૨ આવવું ગમતું નથી. જ્ઞાનની એવી તાકાત છે કે જીવ એક જ સમયમાં આ નિજ ઋદ્ધિને તથા બધાને જાણે. તે પોતાના ક્ષેત્રમાં નિવાસ કરતો જાણે છે; શ્રમ પડયા વગર, ખેદ થયા વગર જાણે છે. અંદર રહીને બધું જાણી લે છે, બહાર ડોકિયું મારવા જવું પડતું નથી. ૩૧૦. * વસ્તુ તો અનાદિ-અનંત છે. જે ફરતું નથી– બદલાતું નથી તેની ઉપર દષ્ટિ કરે, તેનું ધ્યાન કરે, તે પોતાની વિભૂતિનો અનુભવ કરે છે. બહારના અર્થાત્ વિભાવના આનંદ-સુખાભાસ સાથે, બહારની કોઈ વસ્તુ સાથે તેનો મેળ નથી. જે જાણે છે તેને અનુભવમાં આવે છે. તેને કોઈની ઉપમા લાગુ પડતી નથી. ૩૧૧. * અનાદિ કાળથી એકત્વપરિણમનમાં બધું એકમેક થઈ રહ્યું છે તેમાંથી ‘હું માત્ર જ્ઞાનસ્વરૂપ છું' એમ જુદું પડવાનું છે. ગોળિયાની જેમ જીવ વિભાવમાં Please inform us of any errors on [email protected]
SR No.008217
Book TitleBahenshree na Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size873 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy