SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ ૨૭૩ બીજું કંઈ ) દેખાતું નહોતું, એ પાસ થઈ ગયો બાકી બધાં નાપાસ. (જુઓ!) મોટું (જ્યાં છે ત્યાં) રહી ગયું, પ્રતિભાસ રહી ગયો એનો તિરોભાવ થઈને દર્પણાકારનો આવિર્ભાવ થઈને દર્પણ દેખાય ગયું! લ્યો! એવો આ સહેલો ઉપાય છે આ (-સ્વાનુભવનો!) અનુભવ માટે સહેલો ઉપાય (-વિધિ) દર્પણનું દષ્ટાંત શાસ્ત્રમાં પણ આવે, સ્વ-પરને પ્રતિભાસ કરનારી સ્વચ્છતા છે. અને એમ જ્ઞાનમાં...સ્વ-પરને જાણનારી જ્ઞાતૃતા પણ છે એવો પણ પાઠ આવે....(છે. ) આંહીયાં કહે છે કે એ પર્યાયને વિચારતા પર્યાય દેખાય છે, પૂર્વોક્ત એ પ્રમાણે નવ તત્ત્વો રૂપે પરિણમ્યો છે આત્મા, પર્યાયદષ્ટિથી-પર્યાય જુએ ત્યારે-દ્રવ્યને ન જુએ તો..! (આત્મ) દ્રવ્યને ન જુએ સામાન્ય અને એકલા વિશેષને જોયા કરે, પર્યાયને.તો એમ દેખાય છે. - “નવ તત્ત્વો રૂપે આચ્છાદિત છે.” આત્મજ્યોતિએ નવ તત્ત્વના લક્ષમાં એ આત્મજ્યોતિ આચ્છાદિત થઈ ગઈ છે. તિરોભૂત થઈ ગયું છે (આત્મદ્રવ્ય) દેખાતું નથી. જેમ સૂર્યગ્રહણ થાય...તો એ રાહૂ આડો આવે, પ્રકાશ એ વખતે ન દેખાય, નીચેના માણસને..પ્રકાશ (સૂર્યનો) ન દેખાય, ઈ પ્રકાશનો તિરોભાવ કર્યો એણે (રાહૂએ) સૂર્ય તો એમને એમ રહ્યો છે, એની પાછળ સૂર્ય તો એવો ને એવો છે. કોઈ પ્લેન (કે રોકેટ) લઈને જાય...(તો તે કહે ) મને ગ્રહણ દેખાતું નથી. એમ આ (ચૈતન્યસૂર્ય) નવ તત્ત્વોરૂપે આચ્છાદિત છે-નવ તત્ત્વના પ્રેમમાં પક્ષમાંવ્યવહારના પક્ષમાં (-પર્યાયદષ્ટિની રુચિમાં), એને નવ તત્ત્વોથી ભિન્ન આત્મજ્યોતિ વિદ્યમાન હોવા છતાં એને દેખાતી નથી. એ (આત્મજ્યોતિ) એનાં જ્ઞાનમાં તિરોભૂત થઈ ગઈ છે. એનો (ચૈતન્યજ્યોતિ-સર્યનો) અભાવ થતો નથી. ભગવાન જ્ઞાયક (પ્રગટ હોવા છતાં) તને ન દેખાય માટે એનું અસ્તિત્વ નથી..એમ છે નહીં. ઈ...એનું હોવાપણું તો ત્રણે કાળે છે. જીવતત્ત્વનું અસ્તિત્વ કે' દિ ન હોય? એ તો અનાદિ-અનંત જીવ છે, છે ને છે. એમ...(અજ્ઞાનીના જ્ઞાનમાં) આચ્છાદિત છે. પર્યાયષ્ટિના પ્રેમમાં પડ્યો છે (એટલે કે વર્તમાનપર્યાયને જ આત્મા માને છે.) પર્યાયનો જ સ્વામી થઈને બેઠો છે. પર્યાયને ય બનાવે છે એટલે પર્યાય કર્મ થઈ જાય છે આહા! પર્યાય જણાય છે માત્ર તેથી તેને કર્તાનું કર્મ પર્યાય થઈ ગઈ...પર્યાય જણાતી જ નથી, આત્મા જણાય છે...તો જે જણાય તે કર્મને જે જાણે તે કર્તા થઈ ગયો ! કર્મ એટલે કાર્ય જે જણાયો તેને કર્મ કહેવાય (ને જાણે તે કર્તા કહેવાય) –એ પણ ભેદથી છે, અભેદથી તો..કર્તાને કર્મ, એક આત્માના બે નામ છે. કર્તાય આત્માને કર્મપણ આત્મા...એનો પરિણામી આત્મા થાય છે. ભાવાર્થ આમ છે કે જીવવતુ અનાદિકાળથી, નવ તત્ત્વોથી આચ્છાદિત છે” નવા તત્ત્વની આડમાં ભગવાન આત્મા દેખાતો નથી. જેમ રાહૂની આડમાં સૂર્ય દેખાતો નથી તેમ. એ દિવસેન આચાર્ય થઈ ગયા છે એક હજાર વર્ષ પહેલાં, એણે એક “નયચક્ર' બનાવ્યું છે એમાં આ દાખલો આપ્યો છે એ (સૂર્યગ્રહણ વખતે) રાહૂ આડો આવે છે અને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008214
Book TitleAtmajyoti
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2001
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy