SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૨ પ્રવચન નં. ૨૦ થતો, ઈન્દ્રિયજ્ઞાનમાં ભેદને જાણતો 'તો, ભેદને જાણીને એ મારાં.જ્ઞાનનું શેય છે એવી તેને ભ્રાંતિ થતી હતી, આહાહા ! અને જે જ્ઞય થાય ઈ કર્મ થઈ જાય...પર્યાય શેય થતી 'તી ને.... અજ્ઞાન અવસ્થામાં..પર્યાય છે, પર્યાયો નથી એમ નથી, પણ એ જ્ઞાનનું ય નથી, એટલે કર્તાનું કર્મ પણ નથી...રાગ જણાય તો કર્તાનું કર્મ થાય..પણ રાગ જણાતો જ નથી.. જાણનારો જણાય છે જ્યારે...ત્યારે ઉપશમ સમ્યક્દર્શન થાય છે પ્રથમ..આહાહા ! અનાદિ મિથ્યાષ્ટિ હોય એને ઉપશમ (સમકિત) થાય, સાદિ મિથ્યાદષ્ટિ હોય એને આ કાળમાં પણ ઉપશમ ન થાય પણ ક્ષયોપશમ સમ્યક્દર્શન થાય. કેમ કે બીજી વખતે ઉપશમ થવાનો કાળ તો બહુ લાંબો છે વચ્ચે ગાળો... એ વાત કરે છે કે જ્યારે શ્રી ગુરુ પાસેથી....સદ્દગુરુ પાસેથી સાંભળ્યું જો ગુરુની સમીપે સાંભળે તો એ રીતે સદ્ગુરુ હોય નિમિત્ત...અને નહિતર સુપાત્ર જીવને જિનવાણી નિમિત્ત થાય છે. આપણા ગુરુદેવને વર્તમાનમાં કોઈ ગુરુ નહોતા, સુપાત્ર જીવ હતા તેને સમયસાર આદિ શાસ્ત્ર નિમિત્ત થયાં. પૂર્વે દેશનાલબ્ધિ સાંભળી હોય તો એ કારણે જિનવાણીના નિમિત્તથી પણ અંતર્મુખ થઈને અનુભવ થઈ જાય...જિનવાણીનાં એકવાર તો સંસ્કાર હોય છે અંદરમાં, સત્યવાણી હો? જ્ઞાનીની વાણી સાચી વાણી છે. અજ્ઞાનીની વાણી... નિમિત્ત પણ થતી નથી. એ જ્યારે અંતરદૃષ્ટિ એણે જોયું; ભગવાન આત્મા એ નવ તત્ત્વનો કર્તા નથી...અને એ મારા જ્ઞાનનું ઝેય નથી, એ જ્ઞાનનું ઝેય હતું (કે જે) ઈન્દ્રિય જ્ઞાનનું ઝેય હતું ને હું માનતો 'તો એ મારું જ્ઞય છે એ મારી ભૂલ હતી. મારું જ્ઞય તો ભગવાન આત્મા સામાન્યત્રિકાળી (એક જ) શેય, એમ આત્મા પોતે જાણનારો માટે પોતે કર્તા, અને પોતે જણાયો માટે પોતે કર્મ છે. –આમ કર્તા-કર્મ હોવા છતાં તેટલો ભેદ નથી. કાલ આવ્યું હતું (એમ) એટલો ભેદ નીકળી જાય છે. એટલો ભેદ હું કર્તા ને આ મને જ્ઞાયક જણાયો એ મારું કર્મ તેવો ભેદ નીકળી જાય છે કર્તા-કર્મનો. એમ આ પરિણામ મારું શેય, ત્યાં સુધી એ જ્ઞાતાદષ્ટાની બુદ્ધિ એની ખોટી હતી. પરિણામનો જ્ઞાતા નથી આત્મા, પરિણામનો જ્ઞાતા હોય અને પરિણામને જો પરિણામ જાણે અને પરિણામ શેયર હોય તો તો બધાને (આત્માનો ) અનુભવ થવો જોઈએ પણ....પરિણામ જ્ઞય થવા છતાં, આત્માનો અનુભવ થતો નથી. એટલે શેયની ભૂલ” છે. આહાહા ! શેય, વિષે મોટી ભ્રાન્તિ છે. પરિણામ, જ્ઞાનનું શેય નથી આહાહા! આત્મજ્ઞાનનું જ્ઞય નથી. (એ તો) ઈન્દ્રિયજ્ઞાનનું શેય છે. આત્મજ્ઞાનનું શેય તો..ત્રિકાળી જ્ઞાયક ભગવાન એકરૂપ સામાન્ય (સદશ જ્ઞાયકભાવ) એ એકરૂપ ભગવાન આત્મા એક જ જ્ઞાનનું જ્ઞય છે. આહા...હા ! તો... આત્માને આત્મા વડે અથવા આત્માથી આત્માને જાણો! જાણો..પણ..નથી જાણ્યો! આત્મા, પરને જાણે છે ને રાગને જાણે છે એ દિલ્હી બહુ દૂર રહી ગઈ.એ મારું ય નહીં, છ દ્રવ્ય મારાં ય નહીં, દેવ-ગુરુ-શાસ્ત્ર મારું ય નહીં, સાક્ષાત્ તીર્થકર Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008214
Book TitleAtmajyoti
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2001
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy