SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રવચન નં. ૮ આપણે ચારિત્રમોહ લઈએ. ચારિત્રમોહની કર્મની પ્રકૃતિ છે તે ઘાતિ કર્મ છે. ચારે ઘાતિ કર્મમાં એકલા પાપની પ્રકૃતિ છે. તેમાં પુણ્ય-પાપના બે ભેદ નથી. અઘાતિમાં પુણ્યપાપના બે ભેદ છે. (૧) શાતાવેદનીય અને અશાતાવેદનીય. જ્યારે ઘાતિમાં તો એકલા પાપની પ્રકૃતિનો ઉદય છે. ઘાતિના ઉદયમાં જોડાય છે છતાં અહીંયા પુણ્ય થાય છે. કેમકે એ વખતે પોતાની પર્યાયશક્તિથી કષાયની મંદતારૂપે પરિણમે છે. ભગવાનની પૂજામાં બેઠો છે શુભભાવ થયો. હવે એ શુભભાવમાં નિમિત્ત તો ઘાતિકર્મની પાપની પ્રકૃતિ છે, છતાં પણ જીવના પરિણામમાં શુભભાવ થયો તો તેનો આરોપ નિમિત્ત ઉપર આવ્યો કે-તે દ્રવ્ય પુણ્ય છે. ૯૦ કર્મનાં ઉદયમાં નિમિત્ત તરીકે દ્રવ્ય પાપ અને અહીંયા એટલે નૈમિત્તિકમાં ભાવ પુણ્ય થાય તેમ નહીં. તો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ સિદ્ધ ન થાય. જેવી નૈમિત્તિક પર્યાય તેવું નિમિત્ત હોય. નિમિત્તમાં તમે પાપ પ્રકૃતિ લ્યો અને નૈમિત્તિકમાં પુણ્ય ઉભું થાય એમ ન હોય. વ્યવહારમાં કોઈ નિયમ નથી રહેતો એટલે વ્યવહા૨ અભૂતાર્થ છે. અહીંયા(નૈમિત્તિકમાં ) થાય છે ભાવ પુણ્ય અને ત્યાં જે શાતાવેદનીય કર્મની પ્રકૃતિ છે તેનો ઉદય એમાં નિમિત્ત નથી. અઘાતિકર્મ તેમાં નિમિત્ત નથી. ઘાતિકર્મ નિમિત્ત હોય. (શુભભાવમાં ) પાપની પ્રકૃતિ નિમિત્ત હોવા છતાં, અહીંયા કષાયની મંદતા થઈ ગઈ તો કર્મની પ્રકૃતિને દ્રવ્ય પુણ્ય કહી દીધું. અઘાતિકર્મ છે એ તો માત્ર સંયોગ આપે છે. તે જીવના અનુજીવી ગુણનો ઘાત કરતું નથી. પ્રથમ ચાર ઘાતિકર્મ લીધા. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય ને અંતરાય એ ચાર પ્રકાર છે તે પાપની પ્રકૃતિનાં છે. તે પાપની પ્રકૃતિ કેમ? તે અનુજીવી ગુણોને ઘાતે છે. અને અઘાતિ કર્મની પ્રકૃતિ છે તે અનુજીવી ગુણોનો ઘાત કરતી નથી, માત્ર સંયોગ આપે છે. એટલે શુભભાવ વખતે તે જોડાય છે તો પાપની પ્રકૃતિમાં. ભગવાનની પૂજા કરવાનો શુભભાવ છે તે ભાવપુણ્ય છે. હવે અહીંયા ( જીવના પરિણામમાં) ભાવ પુણ્ય તો નિમિત્તને દ્રવ્ય પુણ્ય કહી દીધું. ત્યારે પ્રકૃતિને પણ નિમિત્ત કહેવાય. જુઓ! અહીંયા ભાવપુણ્ય હોય અને ત્યાં તમે દ્રવ્ય પાપ કહો તો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ન બને. એટલે વ્યવહારમાં કાંઈ નિયમ નથી. મારે તો તે કહેવું છે કે-વ્યવહારનો સદ્ભાવ હો કે અભાવ હો! ધર્મ તો આત્માને આશ્રયે થાય છે. આનો ખુલાસો ગુરુદેવે વ્યાખ્યાનમાં કર્યો છે. (દ્રવ્યકર્મમાં) પાપ પ્રકૃતિનો ઉદય છે અને અહીંયા ભાવ પુણ્ય થાય છે-તે બરોબર છે. કેમકે (જીવની પર્યાય ) સ્વતંત્ર છે. નિમિત્તને આધીન ત્યાં પાપની પ્રકૃતિ છે તો ત્યાં પાપ જ થાય એમ નથી. તો તો આત્માના પરિણામ પરાધીન થઈ ગયા. એટલે પહેલાં થવા યોગ્ય-સ્વાધીન કહ્યું. પહેલાં નિરપેક્ષ લીધું અને પછી સાપેક્ષ. સાપેક્ષમાં કોઈ નિયમ ન રહ્યો Please inform us of any errors on [email protected]
SR No.008214
Book TitleAtmajyoti
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2001
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy