SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૮ : આત્મભાવના સાર છે. આવી રીતે જ્ઞાનાનંદસ્વરૂપની ઓળખાણ કરીને તેમાં એકાગ્રતાવડે પરમાત્મા થવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ દેહ તો જડ છે, તે દેહમાંથી કાંઈ પરમાત્મદશા નથી આવતી, પરમાત્મદશા તો આત્મામાંથી આવે છે; દેહથી ભિન્ન આવા આત્માને જાણીને તેમાં એકાગ્રતા-વડ પરમાત્મદશા થાય છે, માટે દેહમાં આત્મબુદ્ધિ છોડીને, અંતરના આત્મસ્વરૂપની શ્રદ્ધાથી અંતરાત્મા થઈને, પરમાત્મા થવાનો ઉધમ કરવાયોગ્ય છે. (૧૩) * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * મારો ચૈતન્યવિલાસ આનંદમય ચૈતન્યવિલાસથી ભરપૂર મારા આત્માની સન્મુખ થઈને તેને જ ભાવતો હું, ચારગતિના ભવોને ભાવતો નથી, તેનાથી હું વિમુખ છું, જુદો છું, એટલે તે મનુષ્યાદિ કોઈ ગતિનો હું કર્તા નથી; મારામાં તે ગતિ નથી, ને તે ગતિમાં હું નથી. હું મારા ચૈતન્ય વિલાસમાં જ છું-આવો પોતાનો અનુભવ કર્યો તેનો વારંવાર અભ્યાસ તે મોક્ષનો માર્ગ છે. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * Please inform us of any errors on [email protected]
SR No.008213
Book TitleAtma Bhavna
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain, Kanjiswami
PublisherHarilal Jain
Publication Year1972
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy