SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૪ : આત્મભાવના દેહબુદ્ધિવાળો જીવ ફરીફરી દેહને ધારણ કરે છે. દેહથી ભિન્ન આત્મબુદ્ધિવાળો જીવ અશરીરી થાય છે. દેહ તે જ હું એવી મિથ્યાબુદ્ધિને લીધે અજ્ઞાની ફરીફરીને દેહને જ ધારણ કરે છે, અને જ્ઞાની તો દેહથી ભિન્ન ચિદાનંદ તત્ત્વને જાણતા થકા દેહને ધારણ કરતા નથી. આ રીતે બહિરાત્મા અને અંતરાત્માના કાર્યનો ભેદ બતાવે છે – देहे स्वबुद्धिरात्मानं युनक्त्येतेन निश्चयात्। स्वात्मन्येवात्मधीस्तस्माद्वियोजयति देहिन।।१३।। દેહમાં જ સ્વબુદ્ધિ રાખનાર બહિરાત્મા પોતાને ફરી ફરીને શરીર સાથે જોડીને,-નવા નવા શરીર ધારણ કરીને સંસારમાં રખડે છે. અને પોતાના આત્મામાં જ આત્મબુદ્ધિ રાખનાર અંતરાત્મા પોતાના આત્માને શરીરથી ભિન્ન કરી નાખે છે, એટલે કે મુક્તિ પામે છે. આ રીતે બહિરાત્માને શરીરબુદ્ધિનું ફળ સંસાર છે, ને અંતરાત્માને આત્મબુદ્ધિનું ફળ મોક્ષ છે. જેમ લોકોમાં એમ કહેવાય છે કે ચૂડેલ-ડાકણને જો બોલાવીએ તો તે વળગે છે, ને ન બોલાવો તો તે ચાલી જાય છે, તેમ આ શરીરરૂપી ચૂડેલ છે, તે શરીરને જે પોતાનું માને છે તેને જ તે વળગે છે, એટલે કે શરીર તે હું એવી મિથ્યાબુદ્ધિને લીધે જ જીવ સંસારમાં નવા નવા દેહ ધારણ કરીને જન્મ-મરણ કરે છે. દેહને પોતાથી ભિન્ન જાણીને, ચિદાનંદસ્વરૂપ આત્માને જે સેવે છે–તેને મોક્ષ થતાં શરીર છૂટી જાય છે,-ફરીને શરમજનક દેહનો સંયોગ થતો નથી. અશરીરી આત્માને ચૂકીને શરીરને જેણે પોતાનું માન્યું તે જ ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. પણ અશરીરી Please inform us of any errors on [email protected]
SR No.008213
Book TitleAtma Bhavna
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain, Kanjiswami
PublisherHarilal Jain
Publication Year1972
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy