SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મભાવના : પ૩ ચૈતન્યના ભાન વગર વ્રતાદિ પણ યથાર્થ ન હોય. ચૈતન્યસન્મુખ વૃત્તિ વળ્યા વગર, બાહ્ય વિષયોના ત્યાગરૂપ વ્રત પણ હોય નહિ. ચૈતન્યસ્વભાવની સન્મુખતા વગર અજ્ઞાની વ્યવહારે વ્રતાદિ પાળે તોપણ તે ઇંદ્રિયદ્વારા બાહ્યવિષયોમાં જ વર્તે છે. કેમકે ઇંદ્રિયોથી જુદા આત્માનું સ્વસંવેદનજ્ઞાન તો તેને છે નહીં. “આત્મા દેહાદિથી જુદો છે” એમ ભલે શાસ્ત્રાદિકથી કહે, પણ ઈદ્રિયોથી અને રાગથી જ્ઞાન માને તો તે જીવ દેહાદિને જ આત્મા માને છે, દેહથી જુદો આત્મા તે માનતો નથી. દેહથી ભિન્ન આનંદસ્વરૂપ આત્મા ઇન્દ્રિયોદ્વારા કે રાગદ્વારા જણાતો નથી, અંતર્મુખ થઈને અતીન્દ્રિય જ્ઞાનદ્વારા જ આત્મા જણાય છે. અને આવા આત્માને જે જાણે તેને જ ચૈતન્યના આશ્રયે વીતરાગી સમાધિ રહે છે. દેહાદિની મૂછ છોડીને ચૈતન્યમાં સાવધાન થયો તે જ સમાધિ છે. (૭) Please inform us of any errors on [email protected]
SR No.008213
Book TitleAtma Bhavna
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain, Kanjiswami
PublisherHarilal Jain
Publication Year1972
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy