SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મભાવના : ૫૧ તંત્ર રહે છે. મિથ્યાત્વાદિભાવ તે અસમાધિ છે. ચૈતન્યસ્વભાવની સન્મુખતાથી સમ્યક્ત્વાદિભાવ પ્રગટે તે સમાધિ છે. બહિરાત્મા જીવ ઇન્દ્રિયદ્વારા જ જ્ઞાનની પ્રવૃત્તિ કરે છે એટલે તેનું જ્ઞાન એકલા બાહ્યપદાર્થોમાં જ પ્રવર્તે છે પણ આત્મા સન્મુખ વર્તતું નથી; આત્માથી પરાભુખ થઈને ઇન્દ્રિયદ્વારા એકલા દેહાદિ પદાર્થોને ગ્રહણ કરીને ‘તે જ હું' એમ અજ્ઞાની માને છે. શરીરથી ભિન્ન અતીન્દ્રિય આત્મા તો તેને ઇન્દ્રિયદ્વારા ભાસતો નથી. જીવસ્વરૂપનું જ્ઞાન તો અતીન્દ્રિય-અંતર્મુખ જ્ઞાનથી જ થાય છે, બહિર્મુખ–ઇન્દ્રિયજ્ઞાનથી થતું નથી. અજ્ઞાની પોતાના જ્ઞાનસ્વભાવને જાણતો નથી, પણ ઇન્દ્રિયોને જ જ્ઞાનનું સાધન માને છે, એટલે ઇન્દ્રિયદ્વા૨ા જણાતા આ દેહાદિને જ પોતાનું સ્વરૂપ માને છે. દેહાદિક તો જડ છે, તે કાંઈ આત્મા નથી, આત્માથી અત્યંત ભિન્ન છે. પણ અજ્ઞાનીને ઇન્દ્રિયજ્ઞાનદ્વારા દેહથી જુદો આત્મા દેખાતો નથી; તેથી દેહના અસ્તિત્વમાં જ પોતાનું અસ્તિત્વ માને છે. શ૨ી૨ની ક્રિયાઓ તે જાણે કે આત્માનું જ કાર્ય હોય-એમ અજ્ઞાનીને ભ્રમણા છે; ઇન્દ્રિયોથી જ હું જાણું છું એટલે ઇન્દ્રિયો તે જ આત્મા છે-એમ તેને ભ્રમણા છે. આ રીતે અજ્ઞાની જીવ પોતાના દેહને જ આત્મા માને છે. તેમ જ ૫૨માં પણ દેહને જ આત્મા માને છે. દેહથી ભિન્ન જ્ઞાનાનંદ સ્વરૂપ પોતાના આત્માને તે નથી ઓળખતો તેથી બીજા આત્માને પણ તેવા સ્વરૂપે ઓળખતો નથી. પોતે પોતાના આત્મજ્ઞાનથી પરાભુખ વર્તતો હોવાથી, અને ઇન્દ્રિયજ્ઞાનદ્વા૨ા એકલી બહિર્મુખ પ્રવૃત્તિ જ કરતો હોવાથી અજ્ઞાની જીવ દેહાદિને જ આત્મા માને છે, દેહથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ આત્માને તે જાણતો નથી. જુઓ, અજ્ઞાનીને બહિરાત્મપણું છે, તે બહિરાત્મપણું કર્મ વગેરે પરના કા૨ણે નથી, પણ પોતે જ પોતાના આત્માથી Please inform us of any errors on [email protected]
SR No.008213
Book TitleAtma Bhavna
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain, Kanjiswami
PublisherHarilal Jain
Publication Year1972
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy