SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મભાવના : ૪૭ શ્રીમદ્ રાજચંદ્રજી પણ કરુણાપૂર્વક આત્મસિદ્ધિમાં કહે છે કે કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ માને મારગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ.” કોઈ અજ્ઞાની જીવો તો શરીરાદિ જડની ક્રિયામાં જ ધર્મ માનીને “ક્રિયાજડ” થઈ રહ્યા છે, ને બીજા કોઈ અજ્ઞાનીઓ શુષ્કજ્ઞાનમાં એટલે કે વસ્તુ સ્વરૂપ સમજ્યા વગર માત્ર જ્ઞાનની વાતો કરવામાં જ મોક્ષમાર્ગ માની રહ્યા છે, પરંતુ વાસ્તવિક મોક્ષમાર્ગને ઓળખતા નથી; એવા જીવોને જોઈને કરુણા આવે છે. જાઓ, આ જ્ઞાનીઓની કરુણા! ઊંધી શ્રદ્ધાના ફળમાં કેવું અપાર દુઃખ છે તે જ્ઞાનીઓ જાણે છે તેથી જીવોને ઊંધી શ્રદ્ધાના અનંતદુ:ખથી બચાવવા જ્ઞાનીઓ બેધડકપણે તે ઊંધી શ્રદ્ધાનો નિષેધ કરે છે. શરીરની ક્રિયાથી ધર્મ થાય કે રાગથી ધર્મ થાય એવી મિથ્યા શ્રદ્ધાનું ફળ ઘોર સંસાર છે, માટે જેઓ દુઃખથી છૂટવા માગતા હોય તેઓ એવી મિથ્યામાન્યતા છોડો ને આત્માનું રાગરહિત-દેહથી ભિન્ન વાસ્તવિક જ્ઞાનાનંદસ્વરૂપ સમજે, એમ જ્ઞાનીઓનો ઉપદેશ છે. * * * આત્મા ત્રણ પ્રકારનાં છે; જો કે શક્તિરૂપ સ્વભાવથી તો બધા આત્મા સરખા છે પણ અવસ્થાભદે ત્રણ પ્રકાર પડે છેબહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. ચૈતન્યના આનંદને ચૂકીને બહારના વિષયોમાં જે આનંદ માને છે તે બહિરાત્મા છે; બાહ્ય વિષયોથી રહિત અંતરમાં ચૈતન્યના અતીન્દ્રિય આનંદને જાણીને તેને જે સાધે છે તે અંતરાત્મા છે. અને આત્મા પરિપૂર્ણ આનંદ જેમને પ્રગટી ગયો છે Please inform us of any errors on [email protected]
SR No.008213
Book TitleAtma Bhavna
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain, Kanjiswami
PublisherHarilal Jain
Publication Year1972
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy