SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩) : આત્મભાવના તો છે કે નહીં? જો કેવળજ્ઞાનશક્તિ ન હોય તો તેને આવરણ કરનારું કર્મ કેમ હોય? અનાદિથી બધાય જીવોને કેવળજ્ઞાનાવરણીય કર્મ છે, ને આત્મામાં કેવળજ્ઞાનાદિ પરમસ્વભાવ પણ અનાદિથી જ છે. તે સ્વભાવની પ્રતીત કરીને તેમાં જે લીન થાય છે તેને તે કેવળજ્ઞાનાદિ શક્તિ પ્રગટી જાય છે અને કેવળજ્ઞાનાવરણીય વગેરે કર્મો છૂટી જાય છે. અહીં તો એમ બતાવવું છેકે તારા આત્મામાં અત્યારે પણ પરમાત્મદશા પ્રગટવાની તાકાત પડી છે, તેની પ્રતીત કર, ને બહિરાત્મબુદ્ધિ છોડ. દર્શનમોહસંબંધી સમ્યકત્વમોહનીય પ્રકૃતિ તથા સમ્યકત્વપ્રકૃતિ એ બે પ્રકૃતિ તો અનાદિ મિથ્યાષ્ટિને હોતી નથી, તે તો એકવાર સમ્યકત્વ પામેલા અમુક જીવને જ હોય છે; અનાદિ મિથ્યાદષ્ટિને તો એકલી મિથ્યાત્વપ્રકૃતિ જ હોય છે. બીજી બે પ્રકૃતિ તેને નથી હોતીપરંતુ તેની જેમ અનાદિ મિથ્યાષ્ટિને કે અભવ્યને કેવળજ્ઞાનાવરણ તથા મન:પર્યયજ્ઞાનાવરણ કર્મપ્રકૃતિઓનો પણ અભાવ નથી; પહેલેથી ઠેઠ બારમાં ગુણસ્થાન સુધીના બધાય જીવોને પાંચ જ્ઞાનાવરણકર્મ હોય છે, અને ઠેઠ દસમા ગુણસ્થાનના અમુક ભાગ સુધી જ્ઞાનાવરણની પાંચ પ્રકૃતિઓ બંધાયા જ કરે છે. આ બંધન ઉપરથી અહીં સિદ્ધ એમ કરવું છે કે બધાય આત્મામાં તે કેવળજ્ઞાનાદિ શક્તિરૂપે છે. “સર્વ જીવ છે સિદ્ધ સમ”—શક્તિપણે બધાય આત્મા પરિપૂર્ણ, સિદ્ધ-ભગવાન જેવા સામર્થ્યવાળા છે, પણ “જે સમજે તે થાય' પોતાની સ્વભાવશક્તિને જે સમજે તેને તે શક્તિમાંથી પરમાત્મદશા પ્રગટે છે. મારા આત્મામાં પરમાત્મા થવાની તાકાત છે ને તેમાંથી પરમાત્મદશા પ્રગટ કરવી તે ઉપાદેય છે. આવી શક્તિની પ્રતીત કરતાં બહિરાત્મપણું છૂટીને અંતરાત્મપણું થાય છે ને તે પરમાત્મા થવાનો ઉપાય છે. આ રીતે બહિરાત્મપણું છોડવા જેવું છે, પરમાત્માપણું Please inform us of any errors on [email protected]
SR No.008213
Book TitleAtma Bhavna
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain, Kanjiswami
PublisherHarilal Jain
Publication Year1972
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy