SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મભાવના: ૩૪૧ છે, અને તે જ કેવળજ્ઞાનીની પરમાર્થસ્તુતિ છે. જુઓ, આમાં કેવળજ્ઞાની તરફ તો લક્ષ પણ નથી, આત્મા તરફ જ લક્ષ છે, છતાં તેને કેવળજ્ઞાનીની સ્તુતિ કહી છે. પહેલાં તે તરફ લક્ષ હતું ને તેના દ્વારા નિજસ્વરૂપ નક્કી કરીને સ્વ તરફ ઝૂકી ગયો-ત્યારે સાચી સ્તુતિ થઈ. પંચપરમેષ્ઠીની પરમાર્થ ઉપાસના આત્માના આશ્રયે થાય છે, પરના આશ્રયે થતી નથી. વચ્ચે જેટલો રાગ રહી જાય તેટલી તો ઉપાસનાની ખામી છે. સર્વજ્ઞનો નિર્ણય પોતાના જ્ઞાનસ્વભાવના આશ્રયે થાય છે. જ્ઞાન અલ્પ હોવા છતાં, તે જ્ઞાનસ્વભાવ તરફ વળીને તેમાં સર્વજ્ઞનો નિર્ણય થાય છે. હજી તો જેને સર્વજ્ઞના નિર્ણયની પણ ખબર નથી તેને સર્વજ્ઞની ઉપાસના ક્યાંથી હોય? અહંત અને સિદ્ધ ભગવાનને જેવા પરિપૂર્ણ જ્ઞાન ને આનંદ પ્રગટરૂપ પ્રસિદ્ધ છે તેવા જ જ્ઞાન ને આનંદરૂપ મારો સ્વભાવ છે, એમ અહંત અને સિદ્ધને ધ્યેય બનાવીને તેમના જેવા પોતાના આત્મા તરફ ઢળીને, તેની શ્રદ્ધા-જ્ઞાન-એકાગ્રતારૂપ આરાધના વડા જીવ પોતે પરમાત્મા થઈ જાય છે. અહંત અને સિદ્ધ ભગવાનની ઉપાસનાને ભિન્ન ઉપાસના કહી,-પણ ક્યારે? કે આત્મા તરફ વળીને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર કરે ત્યારે. એટલે ખરેખર તો અભિન્ન ઉપાસનારૂપ નિશ્ચય પ્રગટયો ત્યારે ભિન્ન ઉપાસનાને વ્યવહાર કહ્યો. જે એકલા પર સામે જોયા કરે ને સ્વસમ્મુખ ન થાય તેને તો અભિન્ન કે ભિન્ન એકેય ઉપાસના થતી નથી, એમ સમજવું. (૯૭). * * * * * * Please inform us of any errors on [email protected]
SR No.008213
Book TitleAtma Bhavna
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain, Kanjiswami
PublisherHarilal Jain
Publication Year1972
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy