SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મભાવનાઃ ૨૯૭ શરૂઆતમાં તો જ્ઞાનીને એમ થાય કે અરે ! આ જીવો સ્વરૂપચિંતનમાં વિકલ વર્તે છે એટલે કે આત્માનું ચિંતન કરવામાં તેઓ પાંગળા થઈ ગયા છે ને મિથ્યા વિકલ્પોથી ઘેરાઈ ગયેલા છે, તેમની ચેષ્ટાઓ ઉન્મત્ત જેવી છે. જોકે જગત આખું શેયપણે જ છે, તે કાંઈ મને રાગદ્વેષનું કારણ નથી એવું જ્ઞાનીને ભાન હોવા છતાં રાગની ભૂમિકામાં એવો વિકલ્પ આવી જાય છે કે અરેરે! ચૈતન્યનિધાનને ભૂલીને આ જગત બહાવરાની જેમ બહારમાં ફાંફા મારી રહ્યું છે, તેમની ચેષ્ટાઓ ઉન્મત્ત જેવી છે.-પણ પછી જ્ઞાનીને જ્યાં વિશેષ લીનતા થાય છે ત્યાં પરના અવલંબન વગર સહેજે ઉદાસીનતા વર્તે છે; ત્યાં પર સંબંધી ચિંતા જ જાગતી નથી. પોતે અંતરમાં સ્થિર થઈને ચૈતન્યપ્રતિમા થઈ ગયો છે ત્યાં જગત નિઃચેષ્ટ ભાસે છે, આખું જગત શેયપણે જ ભાસે છે. “પરજીવો અજ્ઞાનથી ઉન્મત્ત વર્તે છે–તેમાં મારે શું?–એવો ઉદાસીનતાનો વિકલ્પ પણ ત્યાં નથી રહેતો, ત્યાં તો સ્વરૂપમાં જોડાણ વર્તે છે તેથી પરપ્રત્યે પરમ ઉદાસીનતા સહેજે વર્તે છે. જુઓ, આ જ્ઞાનીની દશા! વિકલ્પ આવે છતાં જ્ઞાની તેનાથી ઉદાસીન છે, છતાં વિકલ્પ છે તેટલી તો અસમાધિ છે. પછી તે વિકલ્પ પણ છૂટીને સ્વરૂપમાં લીન થતાં એવી સમાધિ જામે છે કે જગતસંબંધી ચિંતા થતી નથી. “અરેરે! આવું પરમ ચૈતન્યસ્વરૂપ, તેને જગત કેમ નથી સમજતું” એવો ખેદભાવ પણ ત્યાં થતો નથી. આ રીતે અંતરાત્માની બે ભૂમિકા સિદ્ધ કરી છે એક તો વિકલ્પભૂમિકા, અને બીજી સ્વરૂપમાં સ્થિરતારૂપ ભૂમિકા; વિકલ્પભૂમિકામાં જગત પ્રત્યે કરુણા અને ખેદ આવી જાય છે કે અરે! આ જગતના પ્રાણીઓ બિચારા આત્મસ્વરૂપને ભૂલીને ઉન્મત્તની જેમ ભવભ્રમણ કરી રહ્યા છે....જડની ક્રિયામાં ને રાગમાં ધર્મ માનીને તેઓ મોહથી ગાંડા Please inform us of any errors on [email protected]
SR No.008213
Book TitleAtma Bhavna
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain, Kanjiswami
PublisherHarilal Jain
Publication Year1972
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy