SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૨: આત્મભાવના જ આત્મબુદ્ધિ વડે જીવ પોતાને મોક્ષમાં લઈ જાય છે. આ રીતે આત્મા પોતે જ પોતાના બંધ-મોક્ષનો કર્તા છે. એટલે હિતમાર્ગમાં લઈ જવા માટે નિશ્ચયથી પોતે જ પોતાનો ગુરુ છે એ વાત ૭૫મી ગાથામાં બતાવી. હવે, દેહાદિથી ભિન્ન આત્માને જે જાણતો નથી, ને દેહને જ આત્મા માનીને તેમાં આત્મબુદ્ધિથી વર્તે છે તેને મરણ પ્રસંગે શું થાય છે. તે કહે છે दृढात्मबुद्धिहादौ उत्पश्यन्नाशमात्मनः। मित्रादिभिर्वियोगं च विभेति मरणाभृशम्।। ७६ ।। જેને દઢપણે દેહુમાં જ આત્મબુદ્ધિ છે, દેહું તે જ હું એમ માન્યું છે તે જીવ દેહુ છૂટવાનો પ્રસંગ આવતાં પોતાનું મરણ માનીને મરણથી ભયભીત થાય છે, ને મિત્રાદિનો વિયોગ દેખીને ભયભીત થાય છે. જુઓ, એકવાર તો બધાયને આ દેહના વિયોગનો પ્રસંગ આવશે જ. આ દેહુ છૂટો છે તે છૂટો પડશે, તે કાંઈ આત્મા નથી. જેણે દેહથી ભિન્ન આત્મતત્વને લક્ષમાં લીધું નથી તે દેહના વિયોગે આત્માનું મરણ માને છે એટલે તે અશરણપણે મરે છે. જ્ઞાની તો આત્માને દેહથી ભિન્ન જાણે છે, દેહને પહેલેથી જુદો જ જાણ્યો છે, ધ્રુવચૈતન્યની દષ્ટિમાં તેને મરણનો ભય નથી. જ્ઞાની જાણે છે કે આ જડ શરીર મારું નથી, મારું તો જ્ઞાનશરીર છે, તે જ્ઞાનશરીરનો મને કદી વિયોગ થતો નથી, માટે મારું મરણ નથી. મરણ જ મારું નથી પછી ભય કેવો? જેને દેહદષ્ટિ છે તેને જ મરણનો ભય છે, કેમકે દેહથી જુદા આત્માનું શરણ તેને ભાસતું નથી તેથી તે અશરણપણે મરે છે. ભાઈ, પહેલાં આત્મા અને દેહ વચ્ચે ભિન્નતા જાણીને, દેહથી જુદા આત્માને સ્વસંવેદનમાં લે. દેહું તે હું એવી દષ્ટિને બદલે, આત્મા હું' એવી દષ્ટિ કર દષ્ટિ એકદમ પલટાવી Please inform us of any errors on [email protected]
SR No.008213
Book TitleAtma Bhavna
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain, Kanjiswami
PublisherHarilal Jain
Publication Year1972
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy