SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes આત્મભાવનાઃ ૨૨૯ બુદ્ધિ છોડીને, અંતર્મુખ થઈને સ્વસંવેદન કરશે ત્યારે જ તે પ્રતિબોધ પામશે. બહિર્બુદ્ધિવાળા અજ્ઞાની જીવને જરાક જાણપણું થાય ત્યાં તો તેને એમ થઈ જાય છે કે હું બીજાને સમજાવી દઉં. એમાંય વધારે માણસો સાંભળવા ભેગા થાય ત્યાં તો જાણે કેટલોય ધર્મ થઈ ગયો! એમ તે માને છે, એટલે એકલી વાણી અને વિકલ્પ ઉપર તેનું જોર જાય છે, પણ વાણીથી ને વિકલ્પથી પાર આત્મા ઉપર તેનું જોર જતું નથી; કેમકે પોતે પણ એવા તત્ત્વને અનુભવ્યું નથી. જગતના બીજા મૂઢ જીવો પણ એની ભાષાની ઝપટથી જાણે કે એ કેવો મોટો ધર્માત્મા છે–એમ માની લ્યે છે; પણ એ રીતે કોઈ ધર્માત્માનું માપ નથી. કોઈ મહા ધર્માત્મા આત્માના અનુભવી હોય છતાં વાણીનો જોગ ઘણો અલ્પ હોય. મૂક-કેવળી થાય છે, તેમને કેવળજ્ઞાન થવા છતાં વાણીનો જોગ નથી હોતો. વળી કોઈ ધર્માત્માને વાણીનો યોગ હોય ને ઉપદેશની વૃત્તિ પણ ઊઠે; પરંતુ ઉપદેશની વૃત્તિ ઉપર તેનું જોર નથી; મારા ઉપદેશથી બીજો સમજી જશે-એવો અભિપ્રાય નથી. અરે, અતીન્દ્રિય અને શબ્દાતીત એવું ચૈતન્યતત્ત્વ વાણી વડે કેમ બતાવાય ? બોધ દેવાનો વિકલ્પ ઊઠે તે કાંઈ હું નથી, મારું ચૈતન્યતત્ત્વ તે વિકલ્પથી પાર છે.-આવા ચૈતન્યની મહત્તા જેણે જાણી નથી તેને જ એવી ભ્રમણા થાય છે કે વાણી વડે કે વિકલ્પવડે ચૈતન્યતત્ત્વ સમજાઈ જશે. પણ ભાઈ, ચૈતન્યના અનુભવમાં વાણીનો પ્રવેશ નથી, વિકલ્પોનો પણ પ્રવેશ નથી. શ્રીમદ્દ રામચંદ્રજી કહે છે કે નહીં દે તું ઉપદેશનું પ્રથમ લેહી ઉપદેશ, સબસે ન્યારા અગમ હૈ વો જ્ઞાની કા દેશ. કેટલાક લોકોને શાસ્ત્ર ભણતી વખતે કે સાંભળતી વખતે જ અંદર ઊંડે ઊંડે એવો અભિપ્રાય હોય છે કે આ વાત સમજીને (ધારણામાં લઈને ) બીજાને સમજાવશું. અરે, સત્ સમજીને Please inform us of any errors on [email protected]
SR No.008213
Book TitleAtma Bhavna
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain, Kanjiswami
PublisherHarilal Jain
Publication Year1972
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy