________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના: ૨૧૫ જુદા જાણે છે, આત્માને દેહાદિથી અત્યંત જુદો જાણીને તેની જ ભાવના ભાવે છે. આત્મા સિવાય બહારની કોઈ ચીજને તે પોતાની માનતા નથી. અજ્ઞાની તો શરીરાદિને જ આત્મા માનતો હોવાથી બાહ્યવિષયોને પોતાના ઉપકારી માને છે. એટલે દેહાદિથી ભિન્ન આત્મસ્વરૂપની ભાવના તે ભાવતો નથી. જ્ઞાની નિરંતર દેહાદિથી ભિન્ન આત્માને ભાવે છે.
અજ્ઞાની તો જડ-ચેતનને એકબીજા સાથે ભેળવી દે છે; આત્માથી વિલક્ષણ એવી જે મૂર્ત-પુદ્ગલોની રચના (શરીર, વચન વગેરે) તેને તે આત્માના જ માને છે, પણ આત્મા તો પુદ્ગલથી ભિન્ન લક્ષણવાળો ચૈતન્યસ્વરૂપ છે-તેનો બોધ તે કરતો નથી; એટલે જડમાં જ આત્મપણાની ભ્રાંતિને લીધે તેને ભિન્ન આત્માની ભાવના હોતી નથી. જ્ઞાની વિલક્ષણદ્વારા જડ-ચેતનને ભિન્નભિન્ન જાણે છે, શરીર-વાણી વગેરે જડની ક્રિયા સ્વનેય તેને પોતાની ભાસતી નથી, ચૈતન્યસ્વરૂપ આત્મારૂપે જ તે પોતાને સમજે છે. ચૈતન્યસ્વભાવ સિવાય બીજા કોઈ પદાર્થોમાં નેય પોતાપણાની ભ્રાંતિ તેને થતી નથી. એટલે પર્યા-પર્યાયે ક્ષણે-ક્ષણે ને કાર્ય-કાર્યો તેને ભિન્ન આત્માની ભાવના વર્યા જ કરે છે. કાંઈ ગોખી-ગોખીને એ ભાવના થતી નથી પણ અંદર ભેદજ્ઞાન પરિણમી ગયું છે તે ભેદજ્ઞાનના બળે સહજપણે ભિન્નપણાની ભાવના સદાય વર્યા જ કરે છે. આવા ભેદજ્ઞાનના અભ્યાસના બળે વૈરાગ્ય અને ચારિત્રદશા પ્રગટ કરીને તે જ્ઞાની અલ્પ કાળમાં દેહથી અત્યંત ભિન્ન એવી સિદ્ધદશાને સાથે છે. (૫૪)
Please inform us of any errors on
[email protected]