SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મભાવના : ૧૧ છે. જેને જે વહાલું હોય તેને જ તે નમસ્કાર કરે છે. શાસ્ત્રકર્તાને, વ્યાખ્યાતાને તેમજ શ્રોતાજનોને સિદ્ધપદની પ્રાપ્તિની જ ભાવના છે, ને તેને માટે જ અનુષ્ઠાન (ઉપાય) કરે છે, તેથી સિદ્ધભગવાનનું બહુમાન કરીને નમસ્કાર કર્યા છે. અહો! અમને આ એક સિદ્ધપદ જ પરમપ્રિય છે, તે સિવાય રાગાદિ કે સંયોગ અમને પ્રિય નથી; માટે શુદ્ધપદને પામેલા સિદ્ધભગવંતોને નમસ્કાર કરીને શુદ્ધ આત્માનો જ અમે આદર કરીએ છીએ. જેમ બાણવિદ્યા શીખવાનો અભિલાષી પુરુષ બાણવિદ્યા જાણનારનું બહુમાન કરે છે, તેમ મોક્ષનો અભિલાષી જીવ મોક્ષ પામેલા એવા સિદ્ધભગવાનનું તેમ જ અરહંતભગવાન વગેરેનું બહુમાન કરીને તેમને જ નમસ્કાર કરે છે. આ રીતે પહેલા શ્લોકમાં સિદ્ધભગવાનને નમસ્કાર કરીને મંગળાચરણ કર્યું. (૧) Please inform us of any errors on [email protected]
SR No.008213
Book TitleAtma Bhavna
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain, Kanjiswami
PublisherHarilal Jain
Publication Year1972
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy