SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૧૧૪ : આત્મભાવના જીવ જેનાથી પોતાને જ્ઞાન ને સુખ થવાનું માને તેને ‘આત્મા' જ માને છે. જે ઇન્દ્રિયોથી કે ૫૨થી જ્ઞાનાનંદ થવાનું માને છે તે, જડને જ આત્મા માનીને તેના દાસપણે વર્તે છે. ધર્મી જાણે છે કે મેં પણ પૂર્વે અજ્ઞાનદશામાં ભ્રમણાથી દેહને જ આત્મા માનીને ચેષ્ટાઓ કરી....પણ હવે ભાન થયું કે આ દેહ તો મારાથી અત્યંત ાદો અચેતન છે; જેમ લાકડાને થાંભલો મારાથી જુદો છે તેમ આ દેહ પણ મારાથી જુદો છે. હું તો અરૂપી ચૈતન્યસ્વરૂપી સ્વસંવેધ છું. શરીરથી મારી જાત જ જુદી છે. હું હું હું * શરીર રૂપી, * શરીર જડ, અરૂપી; ચેતન; અસંયોગી; અવિનાશી; દેખતો; * શરીર સંયોગી, * શરીર વિનાશી, * શરીર આંધળું, હું * શરીર ઇન્દ્રિયગ્રાહ્ય,હું * શરીર મારાથી બાહ્ય પરતત્ત્વ, અને હું અંતરંગ ચૈતન્યમૂર્તિ સ્વતત્ત્વ; આ રીતે શરીરને અને મારે અત્યંત ભિન્નતા છે. અતીન્દ્રિય-સ્વસંવેદનગ્રાહ્ય; આવા અત્યંત ભિન્નપણાના વિવેકથી જ્યાં ભેદજ્ઞાન થયું અને યથાર્થ તત્ત્વશ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન થયું ત્યાં શીરાદિમાં આત્મબુદ્ધિનો ભ્રમ છૂટી ગયો, શરીરના સુધરવા-બગડવાથી મારું કાંઈ સુધરે કે બગડે-એવો ભ્રમ છૂટી ગયો, ને દેહાદિ પરદ્રવ્યોથી ઉપેક્ષિત થઈને ચિદાનંદસ્વભાવમાં વળ્યો....આનું નામ સમાધિ છે. ભિન્ન આત્મતત્ત્વના ચિંતન વિના સમાધિ થાય જ નહિ. પરદ્રવ્યોથી આત્માને ભિન્ન જાણ્યા વિના તેમનાથી ઉપેક્ષા થાય Please inform us of any errors on [email protected]
SR No.008213
Book TitleAtma Bhavna
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain, Kanjiswami
PublisherHarilal Jain
Publication Year1972
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy