SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates સૂત્રપાહુડ) ૪૯ હવે કહે છે કે - જે જિનસૂત્રથી શ્રુત થઈ ગયા છે તે સ્વચ્છંદી થઈને પ્રવર્તતા થકા મિથ્યાદષ્ટિ છે: उक्किट्ठसीहचरियं बहुपरियम्मो य गरुयभारो य। बो विहरइ सच्छंदं पावं गच्छंदि होदि मिच्छतं।।९।। उत्कृष्ट सिंहचरितः बहुपरिकर्मा च गुरुभारश्च । यः विहरति स्वच्छंदं पापं गच्छति भवति मिथ्यात्वम्।।९।। સ્વચ્છેદ વર્તે તેહ પામે પાપને મિથ્યાત્વને, ગુરુભારધર, ઉત્કૃષ્ટ સિહચરિત્ર, બહુતપકર ભલે. ૯ અર્થ- જે મુનિ થઈને ઉત્કૃષ્ટ સિંહની સમાન નિર્ભય થઈ આચરણ કરે છે અને ઘણાં પરિકર્મ અર્થાત્ તપશ્ચરણાદિ ક્રિયાવિશેષોથી યુક્ત છે તથા ગુરુનો ભાર અર્થાત્ મોટા પદ પર આરુઢ છે, સંઘના નાયક કહેવાય છે. અને જિનસૂત્રથી શ્રુત થઈને સ્વચ્છદ પ્રવર્તે છે તો તે પાપને જ પ્રાપ્ત થાય છે મિથ્યાત્વને પામે છે. ભાવાર્થ- જે ધર્મનું નાયકપણું લઈને ગુરુ બનીને- નિર્ભય થઈ તપશ્ચરણાદિકથી મહંત કહેવડાવીને પોતાનો સંપ્રદાય ચલાવે છે, જિન સૂત્રથી શ્રુત થઈને સ્વેચ્છાચારી થઈ પ્રવર્તે છે તો તે પાપી મિથ્યાષ્ટિ જ છે. એની સંગત પણ સારી નથી. ૯ હવે કહે છે કે- જિનસૂત્રમાં આવો મોક્ષમાર્ગ કહ્યો છે - णिच्चेलपाणिपत्तं उवइ8 परमजिणवरिंदेहिं। एक्को वि मोक्खमग्गो सेसा य अमग्गया सव्वे।।१०।। निश्चेलपाणिपात्रं उपदिष्टं परमजिनवरेन्द्रैः। एकोऽपि मोक्षमार्गः शेषाश्च अमार्गा सर्वे।। १०।। "નિશ્ચલ-કરપાત્રત્વ પરમજિનેન્દ્રથી ઉપદષ્ટિ તે એક મુક્તિમાર્ગ છે ને શેષ સર્વ અમાર્ગ છે. ૧૦ અર્થ:- જે નિશ્ચલ અર્થાત્ વસ્ત્રરહિત દિગમ્બર મુદ્રાસ્વરૂપ અને પાણિપાત્ર અર્થાત્ હાથરૂપી પાત્રમાં ઊભા ઊભા આહાર લેવો – આ પ્રકારે એક અદ્વિતીય મોક્ષમાર્ગનો તીર્થકર પરમદેવ જિનેન્દ્ર ઉપદેશ કર્યો છે. તે સિવાય અન્ય રીતે તે સર્વે અમાર્ગ છે. ભાવાર્થ:- જે મૃગચર્મ, વૃક્ષની છાલના વલ્કલ, કપાસમાંથી બનાવેલ વસ્ત્ર, દુકૂલ, 'રોમવસ્ત્ર, શણ અને ઘાસનાં વસ્ત્ર ઈત્યાદિ રાખીને પોતાને મોક્ષમાર્ગી માને છે તથા આ ૧ નિશ્ચલન કરપાત્રત્વ=વસ્ત્રરહિતપણું હાથરૂપી પાત્રમાં ભોજન કરવાપણું ૨. દુકૂલ=બારીકષ રેશમી વસ્ત્ર; ૩ રોમ વસ્ત્ર= ઉનનાં વસ્ત્ર; રૂંવાટીના વસ્ત્ર. Please inform us of any errors on [email protected]
SR No.008210
Book TitleAshtapahuda
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy