SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates (અષ્ટપાહુડ ભૂતબલિ, જિનચન્દ્ર, કુન્દકુન્દ, ઉમાસ્વામી, સમતભદ્ર, શિવકોટિ, શિવાયન, પૂજ્યપાદ, વીરસેન, જિનસેન, નેમિચન્દ્ર ઇત્યાદિ. તેમના પછી તેમની પરિપારીમાં જે આચાર્યો થયા તેમનાથી અર્થનો લુચ્છેદ (અભાવ) ન થયો. આવી દિગમ્બરોના સંપ્રદાયમાં યથાર્થ પ્રરૂપણા છે. અન્ય શ્વેતામ્બરાદિક વદ્ધમાન સ્વામીથી પરમ્પરા મેળવે છે તે કલ્પિ છે. કેમકે ભદ્રબાહુ સ્વામી પછી કેટલાય મુનિઅવસ્થામાં ભ્રષ્ટ થયા. તેઓ અર્ધફાલક કહેવાયા. તેમના સમ્પ્રદાયમાં શ્વેતામ્બર થયા. સંપ્રદાયમાં દેવગણ “(દેવદ્ધિગણી) '' નામના સાધુ થયો છે. તેમણે સૂત્રો બનાવ્યા છે. તેમાં શિથિલાચારને પુષ્ટ કરવા માટે કલ્પિત કથા તથા કલ્પિત આચરણનું કથન કર્યું છે તે પ્રમાણભૂત નથી. પંચમકાળમાં જૈનાભાસીઓમાં શિથિલાચારની અધિકતા છે તે યોગ્ય છે, આ કાર્યમાં સાચા મોક્ષમાર્ગની વિરલતા છે. એટલે શિથિલા આચારીઓને સાચો મોક્ષમાર્ગ ક્યાંથી હોય? એમ જાણવું. હવે અહીં કેટલુંક દ્વાદશાંગ સૂત્ર તથા અંગબાહ્યશ્રુતનુન વર્ણન લખી એ છીએતીર્થકરના મુખથી ઉત્પન્ન થયેલી સર્વ ભાષામય દિવ્યધ્વનિ સાંભળીને ચાર જ્ઞાન, સપ્તઋદ્ધિના ધારક ગણધર દેવોએ અક્ષર-પદ્યમય સૂત્રરચના કરી. સૂત્ર બે પ્રકારનો છે-૧ અંગ ૨ અંગબાહ્ય એમા અપુનરૂક્ત અક્ષરોની સંખ્યા ૨૦ અંક પ્રમાણ છે. એ અંક એક ઘાટિ એકઠી પ્રમાણ છે. એ અંક ૧૮૪૪૬૭૪૪૦૭૩૭/૯૫૫૧૬૧૫ એટલા અક્ષરો છે. તેમના પદ કરીએ ત્યારે એક મધ્યપદના અક્ષર સોળસો ચૌત્રીસ કરોડ ત્યાંસી લાખ સાત હજાર આઠસો અઠયાસી કહ્યા છે. એને (બારથી) ભાગવાથી એકસોબાર કરોડ ત્યાસી લાખ અઠ્ઠાવન હજાર પાંચ એટલા થાય. આ પદ બાર અંગરૂપ સૂત્રના પદ છે અને બાકીના વીસ અંકોમાં અક્ષરો રહ્યા એ અંગબાહ્ય સૂત્ર કહેવાય છે. એ આઠ કરોડ એક લાખ આઠ હજાર એકસો પંચોતેર અક્ષર છે. આ અક્ષરોમાં ચૌદ પ્રકીર્ણકરૂપ સૂત્રની રચના છે. હવે આ (દ્વાદશા) અંશરૂપ સૂત્રરચનાના નામ અને પદોની સંખ્યા લખી એ છીએ. (૧) પ્રથમ અંગ આચારાંગ છે. તેમાં મુનીશ્વરોના આચારોનું નિરૂપણ છે. તેના પદ અઢારહજાર છે. (૨) બીજું સૂત્રકૃતાંગ છે. તેમાં જ્ઞાનના વિનય આદિક અથવા ધર્મક્રિયામાં સ્વમનપરમતની ક્રિયાના વિશેષોનું નિરૂપણ છે. તેના પદ છત્રીસ હજાર છે. (૩) ત્રીજું સ્થાનાંગ છે. તેમાં પદાર્થોના એક આદિ સ્થાનોનું નિરૂપણ છે. જેમકે જીવ સામાન્યરૂપથી એક પ્રકાર, વિશેષરૂપથી બે પ્રકાર ત્રણ પ્રકાર ઇત્યાદિ એવા સ્થાનો કહ્યાં છે. તેનાં પદ બેતાલીસ હજાર છે. (૪) ચોથું સમવાય અંગ છે. તેમાં જીવાદિક છ દ્રવ્યોના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ આદિ દ્વારા વર્ણન છે. તેમનાં પદ એક લાખ ચોસઠ હજાર છે. (૫) પાંચમું વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અંગ છે. તેમાં જીવના અસ્તિ-નાસ્તિ આદિ સાઠહજાર પ્રશ્ન ગણધરદેવોએ તીર્થકરની પાસે કર્યા તેમનું વર્ણન છે. તેના પદ બે લાખ અઠ્ઠાવીસ હજાર Please inform us of any errors on [email protected]
SR No.008210
Book TitleAshtapahuda
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy