SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪ (અષ્ટપાહુડ સંહનન, ૬) સુરુપતા, ૭) સુગંધતા, ૮) સુલક્ષણતા, ૯) અતુલ વીર્ય, ૧૦) હિતમિત વચનઆવા દશ હોય છે. ચાર ઘાતિકર્મોનો ક્ષય થતાં દસ હોય છે - ૧) શત યોજન સુભિક્ષતા, ૨) આકાશગમન, ૩) પ્રાણીવધનો અભાવ, ૪) કવલાહારનો અભાવ, ૫) ઉપસર્ગનો અભાવ, ૬). ચતુર્મુખપણું, ૭) સર્વવિદ્યા પ્રભુત્વ, ૮) છાયા રહિતત્વ, ૯) લોચનનિસ્પંદન રહિતત્વ, અને ૧૦) કેશ નખવૃદ્ધિરહિતત્વ-આવા દસ હોય છે. દેવો દ્વારા કરેલા ચૌદ હોય છે:- ૧) સકલાર્ધ માગધી ભાષા, ૨) સર્વજીવમૈત્રીભાવ, ૩) સર્વઋતુ ફલ-પુષ્પ પ્રાદુર્ભાવ, ૪) દર્પણ સમાન પૃથ્વીનું હોવું, ૫) મંદ સુગંધ પવનનું વહેવું, ૬) આખા જગતમાં આનંદ હોવો, ૭) ભૂમિ નિષ્ફટક હોવી, ૮) દેવો દ્વારા ગંધોદકની વર્ષા થવી, ૯) વિહાર સમયે ચરણ કમલ નીચે દેવો દ્વારા સુવર્ણમય કમળોની રચના થવી, ૧૦) ભૂમિ ધાન્ય ઉત્પત્તિ સહિત થવી, ૧૧) દિશા-આકાશ નિર્મળ હોવાં, ૧૨) દેવોના આવાહનના શબ્દો થવાં, ૧૩) ધર્મચક્રનું આગળ ચાલવું, અને ૧૪) અષ્ટ મંગલ દ્રવ્ય હોવા; આવાં ચૌદ હોય છે. બધાં મળીને ચૌત્રીસ અતિશયો થયા તથા આઠ પ્રાતિહાર્ય હોય છે. તેમના નામ:- ૧) અશોકવૃક્ષ, ૨) પુષ્પવૃષ્ટિ, ૩) દિવ્ય ધ્વનિ, ૪) ચામર, ૫) સિંહાસન, ૬) છત્ર, ) મામડલ, ૮ ) દુદુભિવાહન- આવા આઠ હોય છે. આવા અતિશય સહિત અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત સુખ, અનંત વીર્ય સહિત તીર્થંકર પરમ દેવ જ્યાં સુધી જીવોને ઉપદેશ આપવા નિમિત્તે વિહાર કરતાં બિરાજે છે ત્યાં સુધી સ્થાવર પ્રતિમા કહેવાય છે. આવા સ્થાવર પ્રતિમા કહેવાથી તીર્થકરને કેવળજ્ઞાન થયા પછી તેમનું સ્થિરત્વ બતાવ્યું છે અને ધાતુ-પાષાણની પ્રતિમા બનાવી સ્થાપના કરવી તે એનો જ વ્યવહાર છે. હવે કર્મોનો નાશ કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે એમ કહે છે - बारसविहतवजुत्ता कम्मं खविऊण विहिबलेण सं। वोसट्टचत्तदेहा णिव्वाणमणुत्तरं पत्ता।। ३६ ।। द्वादशविधतषोयुक्ताः कर्मक्षपयित्वा विधिबलेन स्वीयम्। व्युत्सर्गत्यक्तदेहा निर्वाणमनुत्तर प्राप्ताः ।। ३६ ।। 'દ્વાદશ તપે સંયુક્ત, નિજ કર્મો ખપાવી વિધિબળે, *વ્યુત્સર્ગથી તનને તજી, પામ્યા અનુત્તમ મોક્ષને. ૩૬ ૧. દ્વાદશ = બાર, ૨. વ્યુત્સર્ગથી = (શરીર પ્રત્યે) સંપૂર્ણ ઉપેક્ષાપૂર્વક. ૩. અનુત્તમ = સર્વોત્તમ. Please inform us of any errors on [email protected]
SR No.008210
Book TitleAshtapahuda
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy