SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates GO (અષ્ટપાહુડ અર્થ:- આચાર્ય કહે છે કે જે તપ સહિત શ્રવણપણું ધારણ કરે છે તેમને તથા તેમના શીલને, તેમના ગુણને તથા બ્રહ્મચર્યને હું સમ્યકત્વ સહિત શુદ્ધ ભાવથી નમસ્કાર કરું છું. કેમકે તેમના તે ગુણોથી-સમ્યકત્વ સહિત શુદ્ધ ભાવથી-સિદ્ધિ અર્થાત્ મોક્ષ તરફ ગમન હોય છે. ભાવાર્થ:- પહેલાં કહ્યું કે શરીરાદિ વંદન યોગ્ય નથી, ગુણ વંદન યોગ્ય છે. હવે અહીં ગુણ સહિતને વંદન કર્યા છે. ત્યાં જે તપ ધારણ કરીને, ગૃહસ્થપણું છોડીને મુનિ થયા છે તેમને સમ્યક શીલ, ગુણ, બ્રહ્મચર્ય સહિત શુદ્ધભાવથી સંયુક્ત હોય તેમને વંદન કર્યા છે. અહીં “શીલ” શબ્દથી ઉત્તર ગુણ અને “ગુણ' શબ્દથી મૂળ ગુણ તથા “બ્રહ્મચર્ય' શબ્દથી આત્મસ્વરૂપમાં મગ્નતા સમજવી જોઈએ. ૨૮ અહીં કોઈ આશંકા કરે છે-સંયમીને વંદન યોગ્ય કહ્યા તો સમવસરણાદિ વિભૂતિ સહિત તીર્થકર છે તેઓ વંદન યોગ્ય છે કે નહિ? તેનું સમાધાન કરવા માટે ગાથા કહે છે કે જે તીર્થકર પરમદેવ છે તેઓ સમ્યકત્વ સહિત તપના માહાભ્યથી તીર્થંકર પદવી પામે છે તે પણ વંદન યોગ્ય છેઃ चउसट्ठि चमरसहिओ चउतीसहि अइसएहिं संजुत्तो। अणवरबहुसत्तहिओ कम्मक्खयकारणणिमित्तो।। २९ ।। चतुःषष्टिचमरसहितः चतुस्त्रिंशद्भिरतिशयैः संयुक्तः। 'अनवरतबहुसत्त्वहितः कर्मक्षयकारणनिमित्तः ।। २९ ।। ચોસઠ ચમચ સંયુક્ત ને ચોત્રીસ અતિશય યુક્ત જે બહુ જીવ હિતકર સતત, કર્મવિનાશકારણ-હેતુ છે. ૨૯ અર્થ:- જે ચોસઠ ચામર સહિત છે, ચોત્રીસ અતિશય સહિત છે, નિરંતર ઘણા પ્રાણીઓનું હિત જેમનાથી થાય છે એવા ઉપદેશ દાતા છે, અને કર્મના ક્ષયનું કારણ છે એવા તીર્થંકર પરમદેવ છે, તેઓ વંદન યોગ્ય છે. ભાવાર્થ- અહીં ચોસઠ ચમાર, ચોત્રીસ અતિશય સહિત એ વિશેષણોથી તો તીર્થંકરનું પ્રભુત્ત્વ બતાવ્યું છે અને પ્રાણીઓનું હિત કરવું તથા કર્મક્ષયના કારણ એ વિશેષણથી અન્યનો ઉપકાર કરનાર છે એમ બતાવ્યું છે, આ બન્ને કારણોથી જગતમાં વંદન-પૂજન યોગ્ય છે. માટે આ રીતે ભ્રમ કરવો નહિ કે-તીર્થકર કેવી રીતે પૂજ્ય છે. આ તીર્થકર સર્વજ્ઞ વીતરાગ ૧. “પાયરવદુસત્તદિગો' (અનુવેરવદુસત્વરિત:) પપાહુડમાં આ પાઠ છે. ૨. ‘નિમિત્તે' પપાહુડમાં આવો પાઠ છે. Please inform us of any errors on [email protected]
SR No.008210
Book TitleAshtapahuda
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy