SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates દર્શનપાહુડ) ૧૩ આ અન્તરંગ સમ્યત્વભાવરૂપ સમ્યકત્વ છે તે જ સમ્યગ્દર્શન છે. તથા બાહ્યદર્શન, વ્રત, સમિતિ, ગુણિરૂપ ચારિત્ર અને તપસહિત અઠ્ઠાવીસ મૂળગુણ સહિત નગ્ન દિગમ્બર મુદ્રા તેની મૂર્તિ છે, તેને જિનદર્શન કહે છે. આ પ્રકારે ધર્મનું મૂળ સમ્યગ્દર્શન જાણીને જે સમ્યગ્દર્શન રહિત છે તેમને વંદન-પૂજનનો નિષેધ કર્યો છે. –આવો આ ઉપદેશ ભવ્ય જીવોએ અંગીકાર કરવા યોગ્ય છે. ૨ હવે કહે છે કે અંતરંગ સમ્યગ્દર્શન વિના બાહ્ય ચારિત્રથી નિર્વાણ-મુક્તિ હોતી નથી: दंसणभट्ठा भट्ठा दंसणभट्ठस्स णत्थि णिव्वाणं। सिज्झंति चरियभट्ठा दंसणभट्ठा ण सिझंति।।३।। दर्शनभ्रष्टाः भ्रष्टाः दर्शनभ्रष्टस्य नास्ति निर्वाणम। सिध्यन्ति चारित्र भ्रष्टाः दर्शनभ्रष्टाः न सिध्यन्ति।।३।। દભ્રષ્ટ જીવો ભ્રષ્ટ છે, દભ્રષ્ટનો નહિ મોક્ષ છે; ચારિત્રભ્રષ્ટ મુકાય છે, દભ્રષ્ટ નહિ મુક્તિ લહે. ૩ અર્થ:- જે પુરુષ દર્શનથી ભ્રષ્ટ છે તે ભ્રષ્ટ છે; જે દર્શનથી ભ્રષ્ટ છે તેમને નિર્વાણ થતો નથી; કેમકે આ પ્રસિદ્ધ છે કે જે ચારિત્રથી ભ્રષ્ટ છે તેઓ તો સિદ્ધિને પ્રાપ્ત થાય છે પરંતુ જે દર્શનભ્રષ્ટ છે તે સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી. ભાવાર્થ:- જે જિનમતની શ્રદ્ધાથી ભ્રષ્ટ છે તેમને ભ્રષ્ટ કહે છે; અને જે શ્રદ્ધાથી ભ્રષ્ટ નથી, કિન્તુ કદાચિત કર્મના ઉદયથી ચારિત્રભ્રષ્ટ થયા છે તેમને ભ્રષ્ટ કહેતા નથી; કેમકે જે દર્શનથી ભ્રષ્ટ છે તેમને નિર્વાણની પ્રાપ્તિ હોતી નથી; જે ચારિત્રથી ભ્રષ્ટ થાય છે અને શ્રદ્ધામાં દઢ રહે છે તેમને તો શીઘ્ર જ ફરીથી ચારિત્ર ગ્રહણ થાય છે અને મોક્ષ થાય છે પણ દર્શનશ્રદ્ધાથી ભ્રષ્ટ હોય તેને ફરી ચારિત્ર ગ્રહણ કઠિન હોય છે. આથી મોક્ષની પ્રાપ્તિ દુર્લભ કહી છે. જેમ-વૃક્ષની ડાળીઓ વગેરે કપાઈ જાય અને મૂળ સાજા હોય તો ડાળીઓ વગેરે જલદીથી ફરી ઉગી આવશે અને ફળો પણ બેસશે પરંતુ મૂળ ઉખડી જાય તો ડાળીઓ વગેરે કેવી રીતે થશે? તેવી જ રીતે ધર્મનું મૂળ દર્શન જાણવું. ૩ - હવે જે સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ છે અને શાસ્ત્રોને અનેક પ્રકારથી જાણે છે તો પણ સંસારમાં ભટકે છે;- એવા જ્ઞાનથી પણ દર્શનને અધિક કહે છે: * સ્વાભાનુભૂતિ જ્ઞાનગુણની પર્યાય છે. જ્ઞાન દ્વારા સમ્યત્વનો નિર્ણય કરવો તેનું નામ વ્યવહારીના વ્યવહારનો આશ્રય સમજવો, પરંતુ ભેદરૂપ વ્યવહારના આશ્રયથી વીતરાગ અંશરૂપ ધર્મ થશે એવો અર્થ કયાંય પણ સમજવો નહિ. ૧. દભ્રષ્ટ = સમ્યગ્દર્શન રહિત. Please inform us of any errors on [email protected]
SR No.008210
Book TitleAshtapahuda
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy