SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates દર્શનપાહુડ) આત્મબુદ્ધિ છે તે પર્યાયબુદ્ધિ છે અને પર્યાયબુદ્ધિ ભય પણ ઉત્પન્ન કરે છે. ભયને પણ શંકા કહે છે, તેના સાત ભેદ છે:- ૧ આલોકનો ભય, ૨ પરલોકનો ભય, ૩ મૃત્યુનો ભય, ૪ અરક્ષાનો ભય, ૫ અગુતિનો ગતિનો ભય, નૈવેદનાનો ભય અને ૭ અકસ્માતનો ભય-જેને આ ભય હોય તેને મિથ્યાત્વકર્મનો ઉદય સમજવો જોઈએ; સમ્યગ્દષ્ટિ થયા પછી આ ભય હોતા નથી. પ્રશ્ન- ભય પ્રકૃતિનો ઉદય તો આઠમા ગુણસ્થાન સુધી છે; તેના નિમિત્તથી સમ્યગ્દષ્ટિને ભય થાય જ છે, તો પછી તેને ભયનો અભાવ કેવો? સમાધાનઃ- જો કે સમ્યગ્દષ્ટિને ચારિત્રમોહના ભેદરૂપ ભયપ્રકૃતિના ઉદયથી ભય હોય છે તો પણ તેને નિર્ભય જ કહે છે, કેમકે તેને કર્મના ઉદયનું સ્વામિત્વ નથી અને પારદ્રવ્યના કારણે પોતાના દ્રવ્યસ્વભાવનો નાશ માનતા નથી. પર્યાયનો સ્વભાવ વિનાશી માને છે તેથી ભય હોવા છતાં પણ તેને નિર્ભય જ કહે છે. ભય લાગતાં તેનો ઉપાય ભાગવું ઈત્યાદિ કરે છે ત્યાં વર્તમાનમાં પીડા સહન ન થવાથી તેનો ઈલાજ (ઉપચાર) કરે છે તે નિર્બળતાનો દોષ છે. આ પ્રમાણે સમ્યગ્દષ્ટિ સંદેહ તથા ભય રહિત હોવાથી તેને નિઃશંકિત અંગ હોય છે. ૧ (૨) નિ:કાંક્ષિત - કાંક્ષા અર્થાત્ ભોગોની ઈચ્છા-અભિલાષા. ત્યાં પૂર્વકાળમાં ભોગવેલાં ભોગોની વાંછા તથા તે ભોગોની મુખ્ય ક્રિયામાં વાંછા તથા કર્મ અને કર્મના ફળની વાંછા તથા મિથ્યાષ્ટિઓને ભોગોની પ્રાપ્તિ જોઈને તેને પોતાના મનમાં રૂડી જાણવી અથવા જે ઇન્દ્રિયોને ન રુચે એવા વિષયોમાં ઉગ થવો-આ ભોગાભિલાષાનાં ચિહ્નો છે. આ ભોગાભિલાષા મિથ્યાત્વકર્મના ઉદયથી થાય છે, અને જેને એ ન હોય તે નિઃકાંક્ષિત અંગયુક્ત સમ્યગ્દષ્ટિ છે. તે સમ્યગ્દષ્ટિ જો કે શુભક્રિયા-વ્રતાદિક આચરણ કરતા હોય છે, અને તેનું ફળ શુભકર્મબંધ છે, પરંતુ તેની પણ વાંછા કરતા નથી. વ્રતાદિકને સ્વરૂપનું સાધક જાણી તેનું આચરણ કરે છે, કર્મના ફળની વાંછા કરતાં નથી. આવું નિઃકાંક્ષિત અંગ છે. ૨ (૩) નિર્વિચિકિત્સાઃ- પોતામાં પોતાના ગુણની મહત્તાથી પોતાને શ્રેષ્ઠ માને અને બીજાને હીનબુદ્ધિથી ઉતરતા માને તેને વિચિકિત્સા કહે છે. તે જેને ન હોય તેને નિવિચિકિત્સા અંગ સહિત સમ્યગ્દષ્ટિ કહે છે. એનું ચિહ્ન એ હોય છે કે-જો કોઈ પુરુષ પાપના ઉદયથી દુઃખી હોય, અશાતાના ઉદયથી ગ્લાનિયુક્ત શરીર હોય તો તેમાં ગ્લાનિબુદ્ધિ કરતો નથી. એવી બુદ્ધિ નથી કરતો કે હું સંપદાવાન છું, સુંદર શરીરવાળો છું, આ દીન, રંક, મારી બરાબરી નથી કરી શકતો. ઉર્દુ એવું વિચારે છે કે પ્રાણીઓને કર્મોદયથી અનેક વિચિત્ર અવસ્થાઓ થાય છે; જ્યારે મારે એવા કર્મનો ઉદય આવે ત્યારે હું પણ એવો જ થઈ જાઉં. આવા વિચારથી નિર્વિચિકિત્સા અંગ હોય છે. ૩. Please inform us of any errors on [email protected]
SR No.008210
Book TitleAshtapahuda
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy