SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates શીલપાહુડ) ૩૫૭ અર્થ- સર્વ ગુણ-જે મૂળ ગુણ તથા ઉત્તર ગુણ તેનાથી જેમાં કર્મ ક્ષીણ થઈ ગયાં છે, જે સુખદુઃખથી રહિત છે, જેમાં મન વિશુદ્ધ છે અને જેમાં કર્મરૂપ રજને ઉડાડી દીધી છે એવી આરાધના પ્રગટ થાય છે. ભાવાર્થ:- પહેલાં તો સમ્યગ્દર્શન સહિત મૂળગુણ-ઉત્તર ગુણો દ્વારા કર્મોની નિર્જરા થવાથી કર્મની સ્થિતિ, અનુભાગ ક્ષીણ થાય છે. પછી વિષયો દ્વારા જે કંઈ સુખદુઃખ થતું હતું તેનાથી રહિત થાય છે. પછી ધ્યાનમાં સ્થિત થઈ શ્રેણી ચઢે ત્યારે ઉપયોગ વિશુદ્ધ થાય; કષાયોનો ઉદય અવ્યક્ત હોય ત્યારે દુઃખ સુખની વેદના મટે, પછી મન વિશુદ્ધ થઈને ક્ષયોપશમ જ્ઞાન દ્વારા કંઈક શેયથી શેયાંતર થવાનો વિકલ્પ હોય છે, તે મટીને એકત્વવિતર્ક-અવિચાર નામનું શુકલ ધ્યાન બારમા ગુણસ્થાનના અંતમાં હોય છે. –આ મનનો વિકલ્પ મટાડીને વિશુદ્ધ થવું છે. પછી ઘાતિ કર્મોનો નાશ થઈને અનંત ચતુષ્ટય પ્રગટ થાય છે, તેને કર્મરજનું ઉડવું કહે છે. આ પ્રકારે આરાધનાની સંપૂર્ણતા પ્રગટ કરવાની છે. જે ચરમ શરીરી છે તેમને તો આ પ્રકારે આરાધના પ્રગટ થઈને મુક્તિની પ્રાપ્તિ થાય છે. અન્યને આરાધનાનો એકદેશ હોય છે. અંતમાં તેને આરાધના વડે સ્વર્ગ પ્રાપ્ત થાય છે. ત્યાં સાગરો પર્યત સુખ ભોગવીને, ત્યાંથી ચ્યવીને મનુષ્યનો જન્મ લઈ, આરાધનાને સંપૂર્ણ કરી મોક્ષ પ્રાપ્ત કરે છે. આ જિનવચનનું અને શીલનું માહાભ્ય છે. ૩૯ હવે આ ગ્રંથને પૂર્ણ કરે છે ત્યાં એમ કહે છે કે જ્ઞાનથી સર્વસિદ્ધિ છે:- આ સર્વ જન પ્રસિદ્ધ છે તે જ્ઞાન આવું હોય તેમ કહે છે: अरहन्ते सुहभत्ती सम्मत्तं दंसणेण सुविसुद्धं । सीलं विसयविरागो णाणं पुणकेरिसं भणियं ।। ४०।। अर्हति शुभभक्तिः सम्यक्त्वं दर्शनेन सुविशुद्धं । शीलं विषयविरागः ज्ञानं पुनः कीदृशं भणितं ।। ४०।। અહંતમાં શુભ ભક્તિ શ્રદ્ધા શુદ્ધિયુત સમ્યકત્વ છે, ને શીલ વિષય વિરાગતા છે; જ્ઞાન બીજું કયું હવે? ૪૦ અર્થ:- અરહંતમાં શુભ ભક્તિ હોવી તે સમ્યકત્વ છે. તે કેવું છે? સમ્યગ્દર્શનથી વિશુદ્ધ છે, તત્વાર્થોનું નિશ્ચય-વ્યવહારસ્વરૂપ શ્રદ્ધાન અને બાહ્ય જિનમુદ્રા-નગ્ન દિગમ્બરરૂપનું Please inform us of any errors on [email protected]
SR No.008210
Book TitleAshtapahuda
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy