SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates લિંગપાહુડ) ૩૧૯ હવે કહે છે કે જે લિંગ-બાહ્ય વેષ છે તે અંતરંગ ધર્મ સહિત કાર્યકારી છે: धम्मेण होइ लिंगं लिंगमत्तेण धम्मसंपत्ती। जाणेहि भाव धम्मं किं ते लिंगण कायव्वो।।२।। धर्मेण भवति लिंगं न लिंगमात्रेण धर्मसंप्राप्तिः। जानीहि भावधर्मं किं ते लिंगेन कर्तव्यम्।।२।। હોયે ધરમથી લિંગ, ધર્મ ન લિંગમાત્રથી હોય છે; રે! ભાવધર્મ તું જાણ, તારે લિંગથી શું કાર્ય છે? ૨. અર્થ:- ધર્મસહિત તો લિંગ હોય છે, પરંતુ લિંગ માત્રથી જ ધર્મની પ્રાપ્તિ થતી નથી. તેથી હે ભવ્ય જીવ! તું ભાવરૂપ ધર્મને જાણ અને કેવળ લિંગથી તારું શું કાર્ય થાય છે? અર્થાત્ કાંઈ થતું નથી. ભાવાર્થ- અહીં એમ જાણો કે:- લિંગ એવું ચિત્રનું નામ છે. તે બાહ્યવેષ ધારણ કરવો મુનિનું ચિહ્ન છે. આવું ચિહ્ન જો અંતરંગ વીતરાગ સ્વરૂપ ધર્મ હોય તો તે સહિત આ ચિત સત્યાર્થ છે. આ વીતરાગ સ્વરૂપ આત્માના ધર્મ વિના બાહ્યવેષ માત્રથી ધર્મની સંપત્તિસમ્યકત્વ પ્રાપ્તિ નથી. તેથી ઉપદેશ આપ્યો છે કે અંતરંગ ભાવધર્મ રાગદ્વેષ રહિત આત્માના શુદ્ધ જ્ઞાન-દર્શનરૂપ સ્વભાવધર્મ છે, તેને હે ભવ્ય! તુ જાણ. આ બાહ્ય લિંગ-વેષમાત્રથી શું કામ છે? કંઈપણ નહિ. અહીં એમ પણ જાણવું કે જિનમતમાં લિંગ ત્રણ કહ્યા છે. એક તો મુનિનું યથાજન્મ નગ્ન દિગંબર લિંગ બીજું ઉત્કૃષ્ટ શ્રાવકનું, ને ત્રીજાં આર્થિકાનું આ ત્રણે લિંગોને ધારણ કરી ભ્રષ્ટ થઈને જે કુક્રિયા કરે છે તેનો નિષેધ છે. અન્ય મતના કેટલાય વેષ છે. તેમને પણ ધારણ કરીને જે કુક્રિયા કરે છે તે પણ નિંદાને પાત્ર છે. તેથી વેષ ધારણ કરીને કુક્રિયા નહિ કરવી એમ બતાવ્યું છે. ૨ હવે કહે છે કે જે જિનલિંગ નિગ્રંથ દિગંબરરૂપને ગ્રહણ કરીને કુકિયા કરી હાંસી કરાવે છે તે જીવ પાપ બુદ્ધિ છે: जो पावमोहिदमही लिंगं घेत्तूण जिणवरिंदाणं। उवहसदि लिंगिभावं लिंगिम्मिय णारदो लिंगी।।३।। यः पापमोहितमतिः लिंगं गृहीत्वा जिनेवरन्द्राणाम्। उपहसति लिंगिभावं लिंगिषु नारद: लिंगी।।३।। જે પાપ મોહિત બુદ્ધિ, જિનવરલિંગ ધરી, લિંગિત્વને ઉપહંસત કરતો, તે ‘વિઘાતે *લિંગીઓના લિંગને. ૩ ૧ પાપમોહિતબુદ્ધિ = જેની બુદ્ધિ પાપમોહિત છે એવો પુરુષ. ૨ લિંગિતને ઉપહાસિત કરતો = લિંગીપણાનો ઉપહાસ કરે છે; લિંગીભાવની મશ્કરી કરે છે; મુનિપણાની મજાક કરે છે. ૩ વિઘાત = ઘાત કરે છે; નષ્ટ કરે છે; હાનિ પહોંચાડે છે. ૪ લિંગીઓ = મુનિઓ; સાધુઓ; શ્રમણો. Please inform us of any errors on [email protected]
SR No.008210
Book TitleAshtapahuda
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy