SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates મોક્ષપાહુડ) ૩૧૩ આ પ્રકારે આ કારણોથી પ્રથમ તો તે જ ભવે જ મોક્ષ થાય છે. જ્યાંસુધી કારણની પૂર્ણતા થતી નથી તે પહેલાં કદાચિત્ આયુકર્મની પૂર્ણતા થઈ જાય તો સ્વર્ગમાં દેવ થાય છે. ત્યાં પણ આ જ વાંછા રહે છે. આ શુભ *ઉપયોગનો અપરાધ છે. અહીંથી ચ્યવીને મનુષ્ય થઈશ ત્યારે સમ્યગ્દર્શન આદિ મોક્ષમાર્ગનું સેવન કરી મોક્ષ પ્રાપ્ત કરીશ-એવી ભાવના રહે છે, ત્યારે ત્યાંથી ચ્યવીને મોક્ષ પ્રાપ્ત કરે છે. હાલ આ પંચમકાળમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની સામગ્રીનું નિમિત્ત નથી, તેથી તદ્ભવ મોક્ષ નથી. તો પણ જો રત્નત્રયનું શુદ્ધતાપૂર્વક પાલન કરે તો અહીંથી દેવપર્યાય પામીને પછી મનુષ્ય થઈને મોક્ષ પામે છે. માટે આ ઉપદેશ છે કે જેમ બને તેમ રત્નત્રયની પ્રાપ્તિનો ઉપાય કરવો. આમાં પણ સમ્યગ્દર્શન પ્રધાન છે, તેનો ઉપાય તો અવશ્ય કરવો જોઈએ. તેથી જિનઆગમને સમજીને સમ્યકત્વનો ઉપાય અવશ્ય કરવા યોગ્ય છે. આ પ્રમાણે આ ગ્રંથનો સંક્ષેપ જાણો. * “પુરુષાર્થ સિદ્ધિ ઉપાય” શ્લોક નં. ૨૨૦ રત્નત્રયરૂપ ધર્મ છે તે નિર્વાણનું જ કારણ છે અને તે વખતે પુણ્યનો આસ્રવ થાય છે તે અપરાધ શુભઉપયોગનો છે. Please inform us of any errors on [email protected]
SR No.008210
Book TitleAshtapahuda
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy