SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates અષ્ટપાહુડ) XXXIII ૬) મોક્ષ પાહુડ એકસો છ ગાથાઓમાં વિસ્તરેલ આ પાહુડમાં આત્માની અનંતસુખસ્વરૂપ દશા મોક્ષ તેમ જ તેની પ્રાપ્તિના ઉપાયોનું નિરૂપણ છે. આની શરુઆતમાં જ આત્માના બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા-એમ ત્રણ ભેદોનું નિરુપણ કરીને બતાવવામાં આવ્યું છે કે બહિરાત્મપણું આદરણીય નથી, અંતરાત્મપણું આદરણીય છે અને પરમાત્મપણું પરમ આદરણીય છે. આગળ બંધ અને મોક્ષના કારણોની ચર્ચા કરતાં કહેવામાં આવ્યું છે કે પરપદાર્થોમાં આસક્ત આત્મા બંધનને પ્રાપ્ત થાય છે, અને પરપદાર્થોથી અનાસક્ત આત્મા મુક્તિને પ્રાપ્ત કરે છે. આ જ પ્રકારે સ્વદ્રવ્યથી સારી ગતિ અને પરદ્રવ્યથી દુર્ગતિ થાય છે–એમ જાણીને હું આત્મ! સ્વદ્રવ્યમાં રતિ અને પરદ્રવ્યથી વિરતિ કરો. આત્મસ્વભાવથી જુદા સ્ત્રી, પુત્રાદિક, ધન, ધાન્યાદિક વગેરે ચેતન-અચેતન પદાર્થો પદ્રવ્ય” છે. અને તેનાથી ભિન્ન જ્ઞાનશરીરી અવિનાશી, નિજ ભગવાન આત્મ “સ્વદ્રવ્ય' છે. જે મુનિ પરદ્રવ્યથી પરાડમુખ થઈને સ્વદ્રવ્યનું ધ્યાન કરે છે તેઓ નિર્વાણને પ્રાપ્ત થાય છે. આથી જે વ્યક્તિ સંસારરૂપી મહાર્ણવથી પાર થવા ઇચ્છે છે, તેમણે પોતાના શુદ્ધઆત્માનું ધ્યાન કરવું જોઈએ. આત્માર્થી મુનિરાજ વિચારે છે કે હું કોનાથી કઈવાત કરું કેમકે જે પણ આ આંખોથી દેખાઈ રહ્યું છે તે બધું શરીરાદિ તો જડ છે, રૂપી છે, અચેતન છે, કાંઈ સમજતું નથી અને ચેતન તો સ્વયં જ્ઞાનસ્વરૂપ છે. જે યોગી વ્યવહારમાં સુતેલા છે. તે પોતાના આત્માના હિતના કાર્યમાં જાગે છે, અને જે વ્યવહારમાં જાગે છે તે પોતાના કાર્યમાં સુતેલા છે. આ પ્રકારે જાણીને યોગીજન સમસ્ત વ્યવહારને ત્યાગીને આત્માનું જ ધ્યાન કરે છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રની પરિભાષા બતાવતાં (વ્યાખ્યા કરતાં) આચાર્યદવ કહે છે કે જે જાણે, તે જ્ઞાન; જે દેખે, તે દર્શન; અને પૂર્ણ અને પાપનો ત્યાગ તે ચારિત્ર છે; અથવા તત્ત્વચિ એ સમ્યગ્દર્શન, તત્ત્વને ગ્રહણ કરવું તે સમ્યજ્ઞાન અને પુણ્ય અને પાપનો ત્યાગ કરવો તે સમ્યફચારિત્ર છે. તપ રહિત જ્ઞાન અને જ્ઞાન રહિત તપ-એ બન્ને અકાર્ય છે. એનાથી કાર્યની સિદ્ધિ થતી નથી, કારણ કે મોક્ષ તો જ્ઞાનપૂર્વક તપથી જ હોય છે. ધ્યાન જ ઉત્કૃષ્ટ તપ છે. પણ જ્ઞાનધ્યાનથી ભ્રષ્ટ કોઈ સાધુ જન કહે છે કે આ સમયમાં ધ્યાન હોતું નથી, પરંતુ આ બરાબર નથી કારણ કે આજ પણ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રના ઘણી સાધુજન આત્માનું ધ્યાન કરીને લોકાંતિક દેવપદને પ્રાપ્ત કરે છે અને ત્યાંથી ચળીને આગામી ભવમાં નિર્વાણપદને પ્રાપ્ત કરે Please inform us of any errors on [email protected]
SR No.008210
Book TitleAshtapahuda
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy