SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates GOO (અષ્ટપાહુડ ते धण्णा सुकयत्था ते सूरा ते वि पंडिया मणुया। सम्मत्तं सिद्धियरं सिविणे वि ण मइलियं जेहिं।। ८९ ।। ते धन्याः सुकृतार्थाः ते शूराः तेऽपि पंडिता मनुजाः। सम्यक्त्वं सिद्धिकरं स्वप्नेऽपि न मलिनितं यैः।। ८९ ।। નર ધન્ય ને, સુકૃતાર્થ તે, પંડિત અને શૂરવીર તે, સ્વપ્નય મલિન કર્યું ન જેણે 'સિદ્ધિકર સમ્યકત્વને. ૮૯ અર્થ:- જે પુરુષો મુક્તિ કરનાર સમ્યકત્વને સ્વપ્નય મલિન કર્યું નથી-અતિચાર લાગવા દીધો નથી તે પુરુષો ધન્ય છે. તે જ ખરેખર કૃતાર્થ છે, તે જ શૂરવીર છે અને તે જ પંડિત છે. ભાવાર્થ- લોકમાં કેટલાક દાનાદિક કરે તેને ધન્ય કહે છે, વિવાહાદિક, યજ્ઞાદિક કરે તેને કૃતાર્થ માને છે, યુદ્ધમાંથી પાછા ન ફરે તેને શૂરવીર કહે છે ને ઘણાં શાસ્ત્રો વાંચે તેને પંડિત કહે છે. આ બધું કથનમાત્ર છે. મોક્ષનું કારણ જે સમ્યકત્વ તેને જે મલિન ન કરેનિરતિચાર પાલન કરે તે ધન્ય છે. તે જ કતાર્થ છે. તે જ શરવીર છે. તે જ પંડિત મનુષ્ય છે. તેના (સમ્યકત્વ ) વિના મનુષ્ય પશુ સમાન છે. આ પ્રકારે સમ્યકત્વનું માહામ્ય કહ્યું છે. ૮૯ હવે શિષ્ય પૂછે છે કે સમ્યકત્વ કેવું છે? તેનું સમાધાન કરવા માટે આ સમ્યકત્વના બાહ્ય ચિહ્ન બતાવે છે: हिंसारहिए धम्मे अट्ठारहदोसवज्जिए देवे। णिग्गंथे पव्वयणे सद्दहणं होइ सम्मत्तं ।। ९०।। हिंसारहिते धर्म अष्टादशदोषवर्जिते देवे। निर्ग्रथे प्रवचने श्रद्धानं भवति सम्यक्त्वम्।।९०।। ‘હિંસાસુવિરહિત ધર્મ, દોષ અઢાર વર્જિત દેવનું, નિગ્રંથ પ્રવચન કેરું જે શ્રદ્ધાન તે સમકિત કહ્યું. ૯૦ અર્થ- હિંસા રહિત ધર્મ, અઢાર દોષ રહિત દેવ, નિગ્રંથ પ્રવચન અર્થાત્ માર્ગ તથા ગુરુ-તેમાં શ્રદ્ધાન થતાં સમ્યકત્વ થાય છે. ભાવાર્થ- લૌકિક જન તથા અન્ય મતવાળા જીવોની હિંસાથી ધર્મ માને છે અને ૧ સુકૃતાર્થ = જેમણે પ્રયોજનને સારી રીતે સિદ્ધ કર્યું છે એવા; સુકૃત કૃત્ય. ૨ સિદ્ધિકર = સિદ્ધિ કરનાર; મોક્ષ કરનાર. ૩ હિંસાસુવિરહિત = હિંસા રહિત. Please inform us of any errors on [email protected]
SR No.008210
Book TitleAshtapahuda
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy