SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates મોક્ષપાહુડ) ૨૮૩ बाह्यलिंगेन युतः अभ्यंतरलिंग रहित परिक्रर्मा। સ: સ્વવારિત્ર%E: મોક્ષપથવિનાશવ: સાધુ: ના દ્દશા જે બાહ્યલિંગે યુક્ત, આંતરલિંગ રહિત ક્રિયા કરે, તે અકચરિતથી ભ્રષ્ટ, શિવમારગવિનાશક શ્રમણ છે. ૬૧ અર્થ:- જે જીવ બાહ્યલિંગ (નગ્ન મુદ્રા) સહિત છે અને અત્યંતર લિંગ જે પરદ્રવ્યોથી સર્વ રાગાદિક મમત્વભાવથી રહિત એવા આત્માનુભવથી રહિત છે તો તે સ્વકચારિત્ર અર્થાત્ પોતાના આત્મસ્વરૂપના આચરણ-ચારિત્રથી ભ્રષ્ટ છે. પરિકર્મ અર્થાત્ બાહ્યમાં નગ્નતા, બ્રહ્મચર્યાદિ શરીર સંસ્કારથી પરિવર્તનવાન દ્રવ્યલિંગી હોવા છતાં પણ તે સ્વચારિત્રથી ભ્રષ્ટ હોવાથી મોક્ષમાર્ગનો વિનાશ કરવાવાળો છે. (તેથી મુનિ-સાધુએ શુદ્ધભાવને જાણીને નિજ શુદ્ધબુદ્ધ એક સ્વભાવી આત્મતત્ત્વમાં નિત્ય ભાવના (એકાગ્રતા) કરવી જોઈએ.) ભાવાર્થ:- આ સંક્ષેપથી કહ્યું સમજવું કે જે બાહ્યલિંગ-વેષ સહિત છે અને અત્યંતર અર્થાત્ ભાવલિંગ રહિત છે તે સ્વરૂપ આચરણ ચારિત્રથી ભ્રષ્ટ થયેલો મોક્ષમાર્ગનો નાશ કરવાવાળો છે. ૬૧ હવે કહે છે કે જે સુખથી ભાવિત જ્ઞાન છે તે દુઃખ આવવાથી નષ્ટ થાય છે. તેથી તપશ્ચરણ સહિત જ્ઞાનને ભાવવું - सुहेण भाविदं णाणं दुहे जादे विणस्सदि। तम्हां जहाबलं जोई अप्पा दुक्खेहि भावए।।६२।। सुखेन भावितं ज्ञानं दुःखे जाते विनश्यति। तस्मात् यथा बलं योगी आत्मानं दुःखैः भावयेत्।।६२।। "સુખસંગ ભાવિત જ્ઞાન તો દુઃખકાળમાં લય થાય છે, તેથી યથા બળ "દુઃખસહ ભાવો શ્રમણ નિજ આત્માને. ૬૨ અર્થ:- સુખથી ભાવવામાં આવેલું જ્ઞાન છે તે ઉપસર્ગ-પરિષહાદિ આવતાં, -દુઃખ ઉત્પન્ન થતાં જ નાશ પામે છે. તેથી એવો ઉપદેશ છે કે જે યોગી-ધ્યાની મુનિ છે તે તપશ્ચરણાદિ કષ્ટ (દુ:ખ) સહિત આત્માને ભાવે. (અર્થાત્ બાહ્યમાં જરાપણ અનુકૂળ-પ્રતિકૂળ ન માનતાં નિજ આત્મામાં જ એકાગ્રતારૂપી ભાવના કરવી. જેથી આત્મશક્તિ અને આત્મિક આનંદનું પ્રચૂર સંવેદન વધતું જ રહે છે.). * અકચારિત = ચારિત્ર. ૧ સુખસંગ = સુખસહિત; શાતાના યોગમાં. ૨ ભાવિત = ભાવવામાં આવેલું. ૩ દુઃખકાળમાં = ઉપસર્ગાદિ દુઃખ આવી પડતાં. ૪ યથાબળ = શક્તિ પ્રમાણે ૫ દુ:ખસહુ = કાયક્લેશાદિ સહિત. Please inform us of any errors on [email protected]
SR No.008210
Book TitleAshtapahuda
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy