SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૮ (અષ્ટપાહુડ सुहजोएण सुभावं परदव्वे कुणइ रागदो साहु। सो तेण दु अण्णाणी णाणी एत्तो दु विवरीओ।।५४।। शुभ योगेन सुभावं परद्रव्ये करोति रागतः साधुः। सःतेन तु अज्ञानी ज्ञानी एतस्मात्तु विपरीतः।।५४ ।। "શુભ અન્ય દ્રવ્ય રાગથી મુનિ જો કરે રુચિભાવને, તો તેહ છે અજ્ઞાની, ને વિપરીત તેથી જ્ઞાની છે. ૫૪. અર્થ:- શુભયોગ અર્થાત પોતાને ઇષ્ટવસ્તુના સંયોગથી પરદ્રવ્યમાં સુભાવ અર્થાત્ પ્રતિભાવ કરે છે તે પ્રગટ રાગ-દ્વેષ છે. ઇષ્ટ વસ્તુમાં રાગ થયો ત્યારે અનિષ્ટ વસ્તુમાં દ્વેષભાવ થાય જ છે. આ પ્રકારે જે મુનિ રાગ-દ્વેષ કરે છે તે, તે કારણથી રાગી-દ્વેષી–અજ્ઞાની છે અને જે એનાથી વિપરીત અર્થાત્ ઉલટા છે-પરદ્રવ્યમાં રાગદ્વેષ કરતા નથી તે જ્ઞાની છે. ભાવાર્થ:- જ્ઞાની સમ્યગ્દષ્ટિ મુનિને પરદ્રવ્યમાં રાગ-દ્વેષ નથી. કેમકે રાગ-દ્વેષ એને કહે છે કે જે પરદ્રવ્યને સર્વથા ઇષ્ટ માનીને રાગ કરે છે તેમજ અનિષ્ટ માનીને દ્વેષ કરે છે. પરંતુ સમ્યજ્ઞાની પરદ્રવ્યમાં ઇષ્ટ-અનિષ્ટની કલ્પના જ કરતા નથી, તો પછી રાગદ્વેષ કેમ થાય? ચારિત્ર મોહના ઉદયવશ થવાથી કંઈક ધર્મરાગ થાય છે તેને પણ રોગ જાણે છે, ભલું સમજતા નથી. પછી અન્યથી કેમ રાગ થાય? પરદ્રવ્યથી રાગ-દ્વેષ કરે છે તે તો અજ્ઞાની છે એમ જાણો. ૫૪ હવે કહે છે કે જેમ પરદ્રવ્યમાં રાગભાવ થાય છે તેમ મોક્ષના નિમિત્તે પણ રાગ થાય તો તે રાગ પણ આસ્રવનું કારણ છે તેને પણ જ્ઞાની કરતા નથી: आसवहेदु य तहा भावं मोक्खस्स कारणं हवदि। सो तेण दु अण्णाणी आदसहावा दु विवरीओ।।५५।। आस्रवहेतुश्च तथा भावः मोक्षस्य कारणं भवति। स: तेन तु अज्ञानी आत्मस्वभावात्तु विपरीतः।। ५५ ।। આસરવહેતુ ભાવ તે શિવહેતુ છે તેના મતે, તેથી જ તે છે અજ્ઞ, આત્મસ્વભાવથી વિપરીત છે. ૫૫ અર્થ:- જેમ પરદ્રવ્ય પ્રત્યેના રાગને કર્મબંધનું કારણ પૂર્વે કહ્યું, તેવો જ રાગભાવ જો મોક્ષના નિમિત્તે હોય તો આગ્નવનું જ કારણ છે, -કર્મનો જ બંધ કરે છે. આ કારણે જે ૧ શુભ અન્ય દ્રવ્ય = (શુભ ભાવના નિમિત્તભૂત) પ્રશસ્ત પારદ્રવ્યો પ્રત્યે. ૨ ચિભાવ = “આ સારૂં છે, હિતકર છે' એમ એકાકારપણે પ્રીતિભાવ. ૩ અજ્ઞ = અજ્ઞાની. Please inform us of any errors on [email protected]
SR No.008210
Book TitleAshtapahuda
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy