SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates મોક્ષપાહુડ) ૨૫૯ वरं व्रततपोभिः स्वर्ग: मा दुःखं भवतु नरके इतरैः। छाया तपस्थितानां प्रतिपालयतां गुरु भेदः ।।२५।। "દિવ-કીક વ્રતતપથી, ન હો દુ:ખ ઈતરથી નરકાદિકે; છાંયે અને તડકે પ્રતીક્ષાકરણમાં બહુ ભેદ છે. ૨૫ અર્થ - વ્રત અને તપથી સ્વર્ગ મળે છે તે શ્રેષ્ઠ છે. પરંતુ અવ્રત અને અતપથી પ્રાણીને નરક ગતિમાં દુઃખ થાય તે ઇચ્છવા યોગ્ય નથી. છાયા અને તડકામાં બેસવાવાળાને વિરૂદ્ધ કારણોથી મોટો ભેદ દેખાય છે. ભાવાર્થ:- જેમ છાયાનું કારણ તો વૃક્ષાદિક છે, તેની છાયામાં જે બેસે તે સુખ પામે છે અને ગરમીનું કારણ સુર્ય કે અગ્નિ આદિ છે. તેના નિમિત્તથી ગરમી લાગે છે. જે તેની પાસે બેસે છે તે દુઃખ પામે છે. આ પ્રકારે બન્નેમાં મોટો તફાવત છે. આ પ્રમાણે જે વ્રત તપનું આચરણ કરે છે સ્વર્ગના સુખ પ્રાપ્ત કરે છે અને જે વ્રત-તપનું આચરણ કરતા નથી, પણ વિષય-કષાયનું સેવન કરે છે તે નરકનું દુઃખ પ્રાપ્ત કરે છે. આ રીતે આ બન્નેમાં મોટો ભેદ છે. તેથી અહીં કહેવાનો આ આશય છે કે જ્યાં સુધી નિર્વાણ ન થાય (મોક્ષ પ્રાપ્ત ન થાય) ત્યાં સુધી વ્રત-તપ આદિકમાં પ્રવર્તવું શ્રેષ્ઠ છે, જેનાથી સાંસારિક સુખની પ્રાપ્તિ થાય છે અને નિર્વાણની સાધનામાં પણ સહકારી છે. વિષય-કપાયાદિકની પ્રવૃત્તિનું ફળ તો કેવળ નરકાદિકનું દુઃખ છે. તે દુઃખના કારણોનું સેવન કરવું એ તો મોટી ભૂલ છે-આ પ્રમાણે જાણવું જોઈએ. ૨૫ હવે કહે છે કે, સંસારમાં રહે ત્યાં સુધી વ્રત-તપ પાળવા શ્રેષ્ઠ કહ્યાં; પરંતુ જે સંસારમાંથી બહાર નીકળવા ઇચ્છે છે તે આત્માનું ધ્યાન કરે. जो इच्छइ णिस्सरि, संसार महण्णवाउ रुंदाओ। कम्मिंधणाण डहणं सो झायइ अप्पयं सुद्धं ।। २६ ।। यः इच्छति निःसत्तुं संसारमहार्णवात् रुद्रात्। कर्मेन्धनानां दहनं सः ध्यायति आत्मानां शुद्धम्।।२६।। *સંસાર-અર્ણવ રુદ્રથી નિઃસરણ ઈચ્છે જીવ જે, ધ્યાવે કરમ-ઈન્જન તણા દહનાર નિજ શુદ્ધાત્મને. ૨૬ ૧ દિવ-ઠીકવ્રતતપથી = (અવ્રત અને અતપથી નરકાદિ દુ:ખ પ્રાપ્ત થાય તેના કરતાં) વ્રતતપથી સ્વર્ગ પ્રાપ્ત થાય તે મુકાબલે સારું છે. ૨ ઈતરથી = બીજાથી (અર્થાત્ અવ્રત અને અતપથી). ૩ પ્રતીક્ષા કરણમાં = રાહ જોવામાં. ૪ સંસાર-અર્ણવરૂદ્રથી = ભયંકર સંસારસમુદ્રથી. ૫ નિ:સરણ = બહાર નીકળવું તે. ૬ કરમ-બંધન તણા દહનાર = કર્મરૂપી ઇંધણાને બાળી નાખનાર. Please inform us of any errors on [email protected]
SR No.008210
Book TitleAshtapahuda
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy