SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates મોક્ષપાહુડ) ૨૫૭ હવે આ અર્થને દષ્ટાંત દ્વારા દઢ કરે છે - जो जाइ जोयणसयं दियहेणेक्के ण लेवि गुरुभारं। सो किं कोसद्धं पि हु ण सक्कए जाउ भुवणचले।।२१।। यः याति योजनशतं दिवसेनैकेन लात्वा गुरुभारम्। स किं कोशार्द्धमपि स्फुटं न शक्नोति यातुं भुवनतले।।२१।। બહુ ભાર લઈ દિન એકમાં જે ગમન સો યોજન કરે, તે વ્યક્તિથી ક્રોશાર્ધ પણ નવ જઈ શકાય શું ભૂતળે? ૨૧ અર્થ - જે પુરુષ ભારે વજન લઈને એક દિવસમાં સો યોજન ચાલી શકે તે આ પૃથ્વીતલ ઉપર અડધો ગાઉ ન ચાલી શકે? આ પ્રગટ-સ્પષ્ટ જાણો. ભાવાર્થ:- જે પુરુષ ભારે વજન લઈને એક દિવસમાં સો યોજન ચાલી શકે તેને અર્થો ગાઉ ચાલવું તો અત્યંત સુગમ છે. આવી જ રીતે જિનમાર્ગમાં મોક્ષ પામનારને સ્વર્ગ પામવું તો અત્યંત સુગમ છે. ૨૧ હવે આ જ અર્થનું બીજું દષ્ટાંત કહે છે: जो कोडिए ण जिप्पइ सुहडो संगामएहिं सव्वेहिं। सो किं जिप्पइ इक्किं णरेण संगामए सुहडो।।२२।। यः कोट्या न जीयते सुभट: संग्रामकैः सर्वैः। स किं जीयते एकेन नरेण संग्रामे सुभटः।।२२।। જે સુભટ હોય અજેય કોટિ નરોથી-સૈનિક સર્વથી, તે વીર સુભટ જિતાય શું સંગ્રામમાં નર એકથી ? ૨૨ અર્થ:- જે કોઈ સુભટ સંગ્રામમાં બધા લડવાવાળા સાથે કરોડો મનુષ્યોને પણ સુગમતાથી જીતે છે તે સુભટ એક મનુષ્યને શું ન જીતે? અવશ્ય જ જીતે. ભાવાર્થ- જે જિનમાર્ગમાં પ્રવર્તે છે તે કર્મનો નાશ કરે જ. તો શું સ્વર્ગને રોકવાવાળા એક પાપકર્મનો નાશ ન કરે? અવશ્ય કરે જ. ૨૨ હવે કહે છે કે સ્વર્ગ તો તપથી (શુભરાગરૂપી તપ દ્વારા) બધા જ પ્રાપ્ત કરી શકે છે. પરંતુ ધ્યાનના યોગથી સ્વર્ગ પ્રાપ્ત કરે છે તે એ જ ધ્યાનના યોગથી મોક્ષ પણ પ્રાપ્ત કરે છે: ૧ કોશાઈ = અર્ધ કોસ; અર્ધો ગાઉ. ૨ અજેય = ન જીતી શકાય એવો. Please inform us of any errors on [email protected]
SR No.008210
Book TitleAshtapahuda
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy