SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩ | (અષ્ટપાહુડ કર્તા તથા ભોક્તા, અનાદિ-અનંત, દેહપ્રમાણ ને, વણમૂર્તિ, દગજ્ઞાનોપયોગી જીવ ભાખ્યો જિનવરે. ૧૪૮ અર્થ:- “જીવ' નામક પદાર્થ છે. તે કેવો છે? કર્તા છે, ભોક્તા છે, અમૂર્તિક છે, શરીરપ્રમાણ છે, અનાદિનિધન છે અને દર્શન-જ્ઞાન ઉપયોગવાળો છે. આ પ્રકારે જિનવરેન્દ્ર સર્વજ્ઞદેવ વીતરાગે કહ્યું છે. ભાવાર્થ- અહીં જીવ નામના પદાર્થને છ વિશેષણ કહ્યા છે તેમનો આશય આવો છે કે (૨) (૧) “ક” કહ્યો તે નિશ્ચયનયથી તો પોતાના અશુદ્ધ ભાવોનો અજ્ઞાન અવસ્થામાં પોતે જ કર્તા છે. તથા વ્યવહારનયથી જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મોનો કર્તા છે અને શુદ્ધ નયથી પોતાના શુદ્ધ ભાવોનો કર્તા છે. “ભોક્તા' કહ્યો તે નિશ્ચયનયથી તો પોતાના જ્ઞાન-દર્શનમય ચેતનાભાવનો ભોક્તા છે અને વ્યવહારનયથી પુદ્ગલ કર્મનું ફળ જે સુખ-દુઃખ આદિ તેનો ભોક્તા છે. અમૂર્તિક' કહ્યો તે નિશ્ચયથી તો સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ એ પુદ્ગલના ગુણપર્યાય છે તેનાથી રહિત અમૂર્તિક છે. અને વ્યવહારથી જ્યાંસુધી પુદ્ગલકર્મથી બંધાયેલો છે ત્યાંસુધી મૂર્તિક' પણ કહેવાય છે. (૪) શરીરપરિમાણ ” કહ્યો તે નિશ્ચયથી તો અસંખ્યાત પ્રદેશી લોક પરિમાણ છે, પરંતુ સંકોચ-વિસ્તાર શક્તિથી શરીરથી કિંચિતન્યૂન પ્રદેશપ્રમાણ આકારમાં રહે છે. (૫) “અનાદિનિધન' કહ્યો તે પર્યાયદષ્ટિથી જોતાં તો તે જન્મે છે અને મૃત્યુ પામે છે, તો પણ દ્રવ્યદૃષ્ટિથી જોવામાં આવે તો અનાદિ-અનંત સદા નિત્ય અવિનાશી છે. (૬) દર્શન-જ્ઞાન ઉપયોગ સહિત કહ્યો. તે દેખવા-જાણવારૂપ ઉપયોગસ્વરૂપ-ચેતનારૂપ છે. આ વિશેષણોથી ભિન્નમતવાળા જુદા પ્રકારે સર્વથા એકાંતરૂપ માને છે તેમનો નિષેધ પણ જાણવો જોઈએ. “કર્તા' વિશેષણથી તો સાંખ્યમતી સર્વથા અકર્તા માને છે તેનો નિષેધ છે. ભોક્તા' વિશેષણથી બૌદ્ધમતવાળા ક્ષણિક માનીને કહે છે કે કર્મનો કરવાવાળો તો જુદો છે અને ભોગવવાવાળો જુદો છે તેનો નિષેધ છે. જે જીવ કર્મ કરે છે તે જ જીવ તેનું ફળ ભોગવે છે. આ કથનથી બોદ્ધમતવાળાના કહેવાનો નિષેધ છે. “અમૂર્તિક' કહેવાથી મીમાંસક આદિ આ શરીરસહિત મૂર્તિ મૂર્તિક જ માને છે. તેમનો નિષધ છે. ‘શરીરપ્રમાણ' કહેવાથી યાયિક, વશેષિક, વેદાંતી આદિ સર્વથા સર્વવ્યાપક માને છે તેનો નિષેધ છે “અનાદિ નિધન” કહેવાથી ૧ વણમૂર્તિ = અમૂર્ત; અરૂપી. Please inform us of any errors on [email protected]
SR No.008210
Book TitleAshtapahuda
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy