SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૮ (અષ્ટપાહુડ હવે કહે છે કે હે મુને! તું આવી ભાવના કરઃ णाणावरणादीहिं य अट्ठहिं कम्मेहिं बेढिओ य अहं। डहिऊण इण्हिं पयडमि अणतणाणाइगुणचित्तां।। ११९ ।। ज्ञानावरणादिभिः च अष्टभिः कर्मभिः वेष्टितश्च अहं। दग्ध्वा इदानीं प्रकटयामि अनन्तज्ञानादिगुण चेतनां।। ११९ ।। *વેષ્ટિત છું હું જ્ઞાનાવરણકર્માદિ કર્માષ્ટક વડે; બાળી, હું પ્રગટાવું અમિતજ્ઞાનાદિગુણવેદન હવે. ૧૧૯ અર્થ - હે મુનિવર ! તું એવી ભાવના કર કે હું જ્ઞાનાવરણાદિ આઠ કર્મોથી ઘેરાયેલો છું, તેથી તેમને ભસ્મ કરીને અનંત જ્ઞાનાદિ ગુણ-નિજસ્વરૂપ ચેતનાને-પ્રગટ કરું. | ભાવાર્થ - પોતાને કર્મોથી ઢંકાયેલો માને અને તેમનાથી અનંત જ્ઞાનાદિ ગુણ ઢંકાયેલા માને ત્યારે તે કર્મોનો નાશ કરવાનો વિચાર કરે. તેથી કર્મોના બંધની અને તેમના અભાવની ભાવના કરવાનો ઉપદેશ છે. કર્મોનો અભાવ શુદ્ધ સ્વરૂપના ધ્યાનથી થાય છે માટે તેને જ કરવાનો ઉપદેશ છે. કર્મ આઠ છે (૧) જ્ઞાનાવરણ, (૨) દર્શનાવરણ, (૩) મોહનીય, (૪) અંતરાય, -આ ચાર ઘાતિયા કર્મ છે. તેમની પ્રકૃતિ સુડતાલીસ છે કેવળ જ્ઞાનાવરણથી અનંત જ્ઞાન ઢંકાયેલું છે, કેવળ દર્શનાવરણથી અનંત દર્શન આચ્છાદિત છે, મોહનીયથી અનંત સુખ પ્રગટ થતું નથી અને અંતરાયથી અનંતવીર્ય પ્રગટ થતું નથી. માટે તેમનો નાશ કરો. ચાર અઘાતિ કર્મ છે તેનાથી અવ્યાબાધ, અગુરુલઘુ, સૂક્ષ્મતા અને અવગાહુના-એ ગુણો (નો નિર્મળ પર્યાય ) પ્રગટ થતો નથી, આ અઘાતિ કર્મોની પ્રકૃતિ એકસોએક છે. ઘાતિકર્મોનો નાશ થવાથી અઘાતિકર્મોનો સ્વયમેવ અભાવ થઈ જાય છે, આ પ્રકારે જાણવું જોઈએ. ૧૧૯ હવે આ કર્મોનો નાશ કરવા માટે અનેક પ્રકારનો ઉપદેશ તેને સંક્ષેપથી કહે છે: सीलसहस्सट्ठारस चउरासीगुणगणाण लक्खाई। भावहि अणुदिणु णिहिलं असप्प लावेण किं बहुणा।।१२०।। शीलसहस्राष्टादश चतुरशीतिगुणगणानां लक्षाणि। भावय अनुदिनं निखिलं असत्प्रलापेन किं बहुना।। १२०।। ચોરાશી લાખ ગુણો, અઢાર હજાર ભેદો શીલના, -સઘળુંય પ્રતિદિન ભાવ; બહુ પ્રલપન નિરર્થથી શું ભલા? ૧૨૦ ૧ વેષ્ટિત = ઘેરાયેલો; આચ્છાદિતઃ રૂકાવટ પામેલો, ૨ અમિત = અનંત. ૩ નિરર્થ = નિરર્થક; જેનાથી કોઈ અર્થ સરે નહિ એવા. Please inform us of any errors on [email protected]
SR No.008210
Book TitleAshtapahuda
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy