SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૨ (અષ્ટપાહુડ કરી પ્રાપ્ત આંતરલિંગશુદ્ધિ સેવ ચઉવિધ લિંગને; છે બાહ્યલિંગ અકાર્ય ભાવવિહીનને નિશ્ચિતપણે. ૧૧૧ અર્થ:- હે મુનિવર ! તું અત્યંતર લિંગની શુદ્ધિ અર્થાત્ શુદ્ધતાને પ્રાપ્ત થઈને ચાર પ્રકારના બાહ્યલિંગનું સેવન કર, કેમકે જે ભાવરહિત થાય છે તેને પ્રગટપણે બાહ્યલિંગ અકાર્ય છે અર્થાત્ કાર્યકારી નથી. ભાવાર્થ- જે ભાવની શુદ્ધતાથી રહિત છે, જેમને પોતાના આત્માના યથાર્થ શ્રદ્ધાન, - જ્ઞાન, –આચરણ નથી તેને બાહ્ય લિંગ કંઈ કાર્યકારી નથી, કારણ મળતાં તત્કાળ બગડી જાય છે. માટે આ ઉપદેશ છે કે પહેલાં ભાવની શુદ્ધિ કરી દ્રલિંગ ધારણ કરો. આ દ્રવ્યલિંગ ચાર પ્રકારનું કહ્યું છે, તેની સૂચના આ પ્રકારે છે (૧) મસ્તકના, (૨) દાઢીના, (૩) મૂછોના કેશનો લોચ કરવો, ત્રણ ચિહ્ન તો આ થયા અને (૪) નીચેના કેશ રાખવા; અથવા (૧) વસ્ત્રનો ત્યાગ, (૨) વાળનો લોચ કરવો, (૩) શરીરનો સ્નાનાદિથી સંસ્કાર ન કરવો, અને (૪) પ્રતિલેખન મયૂરપિચ્છ રાખવું, –આવા પણ ચાર પ્રકારનાં બાહ્યલિંગ કહ્યાં છે. આમ સર્વ બાહ્ય વસ્ત્રાદિકથી રહિત નગ્ન રહેવું-આવું નગ્નરૂપ ભાવવિશુદ્ધિ વિના હાસ્ય સ્થાન છે અને કંઈ ઉત્તમ ફળ પણ આપતું નથી. ૧૧૧ હવે કહે છે કે ભાવ બગડવાનાં કારણ ચાર સંજ્ઞા છે, તેનાથી સંસાર ભ્રમણ થાય છે, તે બતાવે છે: आहारभयपरिग्गहमेहुण सण्णाहि मोहिओ सि तुमं। भमिओ संसारवणे अणाइकालं अणप्पवसो।।११२।। आहारभयपरिग्रह मैथुन संज्ञाभिः मोहितः असि त्वम्। भ्रमितः संसारवने अनादिकालं अनात्मवशः ।। ११२।। આહાર-ભય-પરિગ્રહ-મિથુન સંજ્ઞા થકી મોહિતપણે તું પરવશે ભટકયો અનાદિ કાળથી વિકાનને. ૧૧૨ અર્થ:- હે મુને! તેં આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ-આ ચાર સંજ્ઞાઓથી મોટુ પામીને અનાદિ કાળથી પરાધીન બની સંસારરૂપી વનમાં ભ્રમણ કર્યું. ભાવાર્થ- “સંજ્ઞા' નામ વાંછા (આકાંક્ષા) જાગતી રહેવી (અર્થાત્ થતી રહેવી) તે છે. તે વાંછા આહારની હોય, ભયની હોય, મૈથુનની હોય અને પરિગ્રહની હોય કે જે જીવને ૧ આંતર = અત્યંતર ૨ ભવકાનને = સંસારરૂપી વનમાં. Please inform us of any errors on [email protected]
SR No.008210
Book TitleAshtapahuda
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy