SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates અષ્ટપાહુડ) XXII અષ્ટપાહુડમાં તેમનું પ્રશાસકરૂપે દર્શન થયું છે. આ ગ્રંથમાં તેમણે શિથિલાચારની વિરૂદ્ધ કઠોર ભાષામાં એ પરમસત્યનું ઉદ્દઘાટન કર્યું છે, જેને જાણ્યા વિના સાધકોને રખડપટ્ટીનો અવસર વધુ હતો. આ ગ્રંથમાં તેમણે શ્વેતામ્બર મતનું જે કઠોરતાથી ખુલ્લંખુલ્લા દોષો બતાવ્યા છે તેને જોઈને કોઈ કોઈ વાર એવો વિકલ્પ આવે છે કે કોઈ આને વાંચીને આપણા શ્વેતામ્બર ભાઈ તેમનો અભ્યાસ કરીને અધ્યાત્મથી પણ દૂર ન થઈ જાય. પરંતુ આ અમારો ભ્રમ છે; કેમકે આચાર્ય કુન્દકુન્દના ગ્રંથોને વાંચીને છેલ્લા બે હજાર વર્ષમાં જેટલા શ્વેતામ્બર ભાઈઓએ દિગમ્બર ધર્મ સ્વીકાર કર્યો છે, એટલો બીજા કોઈ અન્ય દ્વારા નહિ. કવિવર પંડિત બનારસીદાસ તેમજ આધ્યાત્મિક પુરુષ શ્રી કાનજીસ્વામી આના જાણીતા ઉદાહરણ છે. આધ્યાત્મિક સપુરુષ શ્રી કાનજી સ્વામી દ્વારા તો કુન્દકુન્દનાં શાસ્ત્રોના માધ્યમથી લાખો શ્વેતામ્બર ભાઈઓને પણ દિગમ્બર ધર્મ તરફ શ્રદ્ધાળુ બનાવ્યા છે. જો કુન્દકુન્દ દિગમ્બર પરંપરાના શિરચ્છત્ર છે તેમજ તેમના ગ્રંથો દિગમ્બર સાહિત્યનો અનુપમ ખજાનો છે; તોપણ વર્તમાન દિગમ્બર જૈન સમાજ તેનાથી અપરિચિત જેવો જ હતો. દિગમ્બર સમાજની સ્થિતિનું સાચું રૂપ જાણવા માટે પંડિત કૈલાસચંદ્રજી સિદ્ધાંતાચાર્ય, વારાણસીમાં નીચે લખેલું કથન વાંચવા યોગ્ય છે. આજથી ૫૦ વર્ષ પહેલાં સુધી શાસ્ત્રસભામાં શાસ્ત્ર વાંચન પહેલાં ભગવાન કુન્દકુન્દનું નામ માત્ર તો લેવાતું હતું, પરંતુ આચાર્ય કુન્દકુન્દના સમયસાર આદિ આધ્યાત્મની ચર્ચા કરવાવાળા અત્યંત વિરલા જ હતા, આજે પણ દિગમ્બર જૈન વિદ્વાનોમાં પણ સમયસારનું અધ્યયન કરવાવાળા વિરલા જ છે, આપણે સ્વયં સમયસાર ત્યારે વાંચ્યું, જ્યારે શ્રી કાનજી સ્વામીના કારણે જ સમયસારની ચર્ચાનો વિસ્તાર થયો; અન્યથા આપણે પણ સમયસારી કહીને બ્રહ્મચારી શિતલપ્રસાદજીની મજાક ઉડાવ્યા કરતા હતા. જો કાનજીસ્વામીનો ઉદય ન થયો હોત તો દિગમ્બર જૈન સમાજમાં પણ કુન્દકુન્દના સાહિત્યનો પ્રચાર ન થયો હોત.'' પરમપૂજ્ય આચાર્ય કુન્દકુન્દની સાથે સાથે આ યુગમાં કુન્દ્રકુન્દને લોક સમુદાય સુધી પહોંચાડવાવાળા પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના આપણા જેવા લાખો લોકો પર અનંત ઉપકાર છે, જેમણે સાક્ષાત્ તેમના મુખેથી સમયસાર આદિ ગ્રંથો ઉપર પ્રવચનો સાંભળ્યાં છે અને સમજમાં ન આવે તો આપણી શંકાઓનું સહજ સમાધાન તેમની પાસેથી મેળવ્યું છે. આજે તેઓ આપણી વચ્ચે નથી, પરંતુ પિસ્તાલીસ વરસો સુધી અટકયા વગર તેમણે આપેલા પ્રવચનોની ટેપો તેમજ પુસ્તકોના રૂપમાં આપણને આજે પણ ઉપલબ્ધ છે. હાલ એ પ્રવચનો જ આપણું સર્વસ્વ છે. પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીએ આચાર્ય કુન્દુકુન્દ રચિત પરમાગમો પર માત્ર સરળ પ્રવચન જ નથી કર્યા, પરંતુ તે પરમાગમોના સસ્તાં સુલભ મનોજ્ઞ પ્રકાશનો પણ કરાવ્યાં; તથા સોનગઢ (જિલ્લો ભાવનગર-ગુજરાત) માં શ્રી મહાવીર કુન્દકુન્દ પરમાગમ મંદિરનું નિર્માણ Please inform us of any errors on [email protected]
SR No.008210
Book TitleAshtapahuda
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy