SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ભાવપાહુડ) ૧૭૯ ભાવાર્થ - ભાવની શુદ્ધિ થયા વિના પહેલાં જ દિગમ્બરરૂપ ધારણ કરી લે તો પાછળથી ભાવ બગડે તો ભ્રષ્ટ થઈ જાય અને ભ્રષ્ટ થઈને પણ મુનિ કહેવરાવે તો માર્ગની હાંસી કરાવે. માટે જિનઆજ્ઞા એવી છે કે ભાવ શુદ્ધ કરીને બાહ્યમુનિપણું પ્રગટ કરો. ૭૩ હવે કહે છે કે શુદ્ધભાવ જ સ્વર્ગ-મોક્ષનું કારણ છે, મલિન ભાવ સંસારનું કારણ છે भावो वि दिव्वसिवसुक्खभायणो भाववज्जिओ सवणो। कम्ममलमलिणचित्तो तिरियालयभायणो पावो।।७४ ।। भाव: अपि दिव्यशिवसोख्यभाजनं भाववर्जितः श्रमणः। कर्ममलमलिनचित्तः तिर्यंगालयभाजनं पापः।। ७४।। છે ભાવ દિવશિવસૌખ્યભાજન; ભાવવર્જિત શ્રમણ જે પાપી કરકમળમલિનમન, તિર્યંચગતિનું પાત્ર છે. ૭૪ અર્થ:- “ભાવ” જ સ્વર્ગ-મોક્ષનું કારણ છે, અને ભાવરહિત શ્રમણ પાપસ્વરૂપ છે, તિર્યંચગતિનું સ્થાન છે તથા કર્મમળથી મલિન ચિત્તવાળો છે. ભાવાર્થ:- ભાવથી શુદ્ધ છે તે તો સ્વર્ગ-મોક્ષને પાત્ર છે અને ભાવથી મલિન છે તે તિર્યંચગતિમાં જાય છે. ૭૪ હવે ફરી ભાવોના ફળનું માહામ્ય કહે છે: खयरामरमणुयकरंजलिमालाहिं च संथुया विउला। चक्कहररायलच्छी लब्भइ बोही सुभावेण।। ७५ ।। खचरामरमनुज करांजलिमालाभिश्व संस्तुता विपुला। चक्रधरराजलक्ष्मी: लभ्यते बोधि: सुभावेन।।७५।। નર અમર-વિધાધર વડે સંસ્તુત કરાંજલિપંક્તિથી ચક્રી-વિશાળવિભૂતિ બોધિ પ્રાપ્ત થાય °સુભાવથી. ૭૫ ૧ દિવશિવસૌખ્યભાજન = સ્વર્ગ અને મોક્ષનાં સુખનું ભાજન. ૨ કરમમળમલિનમન = કર્મમળથી મલિન મનવાળો. ૩ અમર = દેવ. ૪ સંસ્તુત = જેની સારી રીતે પ્રશંસા કરવામાં આવે છે એવી. ૫ કરાંજલિપંક્તિ = હાથની અંજલિની (અર્થાત જોડેલા બે હાથની) હારમાળા. ૬ ચક્રી-વિશાળવિભૂતિ = ચક્રવર્તીની ઘણી મોટી ઋદ્ધિ. ૭ સુભાવથી = સારા ભાવથી. Please inform us of any errors on [email protected]
SR No.008210
Book TitleAshtapahuda
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy