SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates FFFFFFFFFFFFFFFFFFF -પભાવ પાહુડ FFFFFFFFFFFFFFFFFFF હવે ભાવપાહુડની વચનિકા લખીએ છીએ. (દોહા) પરમાતમÉ વંદિકરિ શુદ્ધભાવકરતારા કરૂં ભાવપાહુડતણી દેશવચનિકા સારા ૧ાા આ પ્રમાણે મંગળપૂર્વક પ્રતિજ્ઞા કરીને શ્રી કુન્દકુન્દ આચાર્યકૃત ભાવપાહુડ ગ્રંથની ગાથાઓની દેશભાષામય વચનિકા લખીએ છીએ. પ્રથમ આચાર્ય ઇષ્ટને નમસ્કારરૂપ મંગળ કરીને ગ્રન્થ કરવાની પ્રતિજ્ઞાનું સૂત્ર કહે છે: णमिऊण जिणवरिंदे णरसुरभवणिंदवंदिए सिद्धे। वोच्छामि भावपाहुडमयसेसे संजदे सिरसा।।१।। नमस्कृत्य जिनवरेन्द्रान् नरसुरभवनेन्द्रवंदितान् सिद्धान्। वक्ष्यामि भायप्राभृतमवशेषान् संयतान् शिरसा।।१।। સુર-અસુર-નરપતિવંદ જિનવર-ઇન્દ્રને, શ્રી સિદ્ધને, મુનિ શેષને શિરસા નમી કહું ભાવપ્રાભૂત-શાસ્ત્રને. ૧ અર્થ:- આચાર્ય કહે છે કે હું ભાવપાહુડ નામનો ગ્રંથ કહીશ. પ્રથમ શું કરીને? જિનવરેન્દ્ર અર્થાત્ તીર્થંકર પરમ દેવ તથા સિદ્ધ અર્થાત આઠ કર્મોનો નાશ કરી સિદ્ધપદને પ્રાપ્ત થયા છે તે અને અવશેષ સંયત અર્થાત્ આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુ-આ પ્રકારે પંચ પરમેષ્ઠીને મસ્તકથી વંદના કરીને કહીશ, કેવા છે પંચપરમેષ્ઠી ? નર અર્થાત્ મનુષ્ય, સુર અર્થાત્ સ્વર્ગવાસી દેવ, ભવનેન્દ્ર અર્થાત્ પાતાલવાસી દેવ તથા એમના ઇન્દ્રો દ્વારા વંદન કરવાને યોગ્ય ભાવાર્થ - આચાર્ય “ભાવપાહુડ' ગ્રન્થ બનાવે છે તે ભાવપ્રધાન પંચપરમેષ્ઠી છે, તેમને શરૂઆતમાં નમસ્કાર યોગ્ય છે, કેમકે જિનવરેન્દ્ર તે આ પ્રકારે છે:- જિન અર્થાત્ ગુણશ્રેણી નિર્જરાયુક્ત. આવા અવિરત સમ્યગ્દષ્ટિ આદિમાં વર અર્થાત્ શ્રેષ્ઠ એવા Please inform us of any errors on [email protected]
SR No.008210
Book TitleAshtapahuda
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy