SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates અષ્ટપાહુડ) XV કુન્દકુન્દ જેવા સમર્થ આચાર્યના ભાગ્યશાળી ગુરુ કોણ હતા? –આ સંદર્ભમાં અંતર સાક્ષીના રૂપે બોધપાહુડની જે ગાથાઓ ટાંકવામાં આવી છે તે આ પ્રકારે છે 'सहवियोरो भूओ भासासुत्तेसु जं जिणे कहिये। सो तह कह्येि णाय सोसेण य, भद्रबाहुस्स।।६१।। बारस अंगवियाणं चउदस पुवंग दिउस वित्थरणं। सुयाणाणि भद्बाहू गमयगुरु भयत्रोवओ जयओ।। ६२।। “જે જિનેન્દ્રદેવે કહ્યું છે તે જ ભાષાસૂત્રોમાં શબ્દવિકારરૂપથી પરિણમિત પામ્યું છે. તેને ભદ્રબાહુના શિષ્ય તેવું જ જાણ્યું છે અને એવું જ કહ્યું છે. બાર અંગ અને ચૌદ પૂર્વોનો વિપુલ વિસ્તાર કરવાવાળા શ્રુતજ્ઞાની ગમકગુરુ ભગવાન ભદ્રબાહુ જયવંત હો.' ' પ્રથમ ૬૧મી ગાથામાં આ વાત જો કે અત્યંત સ્પષ્ટ છે કે બોધપાહુડના કર્તા આચાર્ય કુન્દકુન્દ ભદ્રબાહુના શિષ્ય છે, તોપણ બીજી ૬રમી ગાથા જ્યાં એમ બતાવ્યું છે કે તેઓ ભદ્રબાહુ અગિયાર અંગ અને ચૌદ પૂર્વેના જ્ઞાતા પાંચમા શ્રુતકેવળી જ છે, ત્યાં એમ પણ જણાવ્યું છે કે તેઓ કુન્દુકુન્દના ગમકગુરુ (પરંપરાગુરુ) છે, સાક્ષાત્ ગુરુ નહિ. આ જ પ્રકારના ભાવ સમયસારની પ્રથમ ગાથામાં પણ મળી આવે છે. કે જે આ પ્રકારે છે: "वंदित्तु सव्वसिद्ध ध्रुवमचलामणोवमं गदि पत्ते। વોચ્છામિ સમયપાદુહમિળમો સુલવની મળતંાતા'' ધ્રુવ, અચળ અને અનુપમ ગતિને પામેલ સર્વ સિદ્ધોને વંદન કરીને શ્રુતકેવળી દ્વારા કહેલ સમયપ્રાભૂતને કહીશ.' આ પ્રકારે તો તેમને ભગવાન મહાવીરના પામેલ શિષ્ય પણ કહી શકાય છે કેમકે તેઓ ભગવાન મહાવીરના શાસન પરંપરાના આચાર્ય છે. આ સંદર્ભમાં દર્શનસારની નીચેની ગાથા ઉપર પણ ધ્યાન દેવું જોઈએ. "जइ पउमंणदिणाहो सीमंधर सामिदिव्वणाणेण। ण विवोहइ तो समणा कहं सुमग्गं पयाणंति।।'' જો સીમંધર સ્વામી (મહાવિદેહમાં વિધમાન તીર્થંકરદેવ) પાસેથી મેળવેલ દિવ્યજ્ઞાન દ્વારા શ્રી પદ્મનંદિનાથે (શ્રીકુન્દકુન્દાચાર્ય) ઉપદેશ આપેલ ન હોત તો મુનિજન સાચા માર્ગને કેવી રીતે પ્રાપ્ત કરત?' ' આ ગાથાના આધાર ઉપર તેમને સીમંધર ભગવાનના શિષ્ય શું કહી શકાય? અહીં Please inform us of any errors on [email protected]
SR No.008210
Book TitleAshtapahuda
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy