SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates બોધપાહુડ) ૧૧૫ ભોગવી પછી કંઈક વૈરાગ્યનું કારણ પામતાં સંસાર-દેહ-ભોગોથી વિરક્ત થઈ જાય છે. ત્યારે લોકાંતિક દેવ આવીને વૈરાગ્ય વધારનારી પ્રભુની સ્તુતિ કરે છે. ત૫કલ્યાણક- પછી ઇન્દ્ર આવીને તપકલ્યાણક ઉજવે છે. પાલખીમાં બેસાડી મોટા ઉત્સવથી વનમાં લઈ જાય છે. ત્યાં પ્રભુ પવિત્ર શિલા ઉપર બેસી પંચમુષ્ટિથી લોચ કરી પાંચ મહાવ્રત અંગીકાર કરે છે. સમસ્ત પરિગ્રહનો ત્યાગકરી દિગમ્બરરૂપ ધારણ કરી ધ્યાન ધરે છે. તે જ સમયે મન:પર્યાય જ્ઞાન ઉપજે છે. કેવળજ્ઞાનકલ્યાણક- પછી કેટલોક સમય વ્યતીત થયા બાદ તપના બળથી ઘાતિકર્મની ૪૭ પ્રકૃતિ ને અઘાતિ કર્મની ૧૬ પ્રકૃતિ આ પ્રકારે ૬૩ પ્રકૃતિનો સત્તામાંથી નાશ કરી કેવળજ્ઞાન ઉપજાવી અનંત ચતુટ્યરૂપ થઈને સુધાદિક અઢાર દોષોથી રહિત અરિહંત થાય છે. ફરી ઇન્દ્ર આવીને સમવસરણની રચના કરે છે. તે આગમમાં કહ્યા પ્રમાણે અનેક શોભાસહિત મણિ-સુવર્ણમયી કોટ, ખાઈ, વેદી, ચારે દિશાઓમાં ચાર દરવાજા, માનસ્તંભ, નાટ્યશાળા, વન આદિ રૂપ અનેક રચના કરે છે. તેની મધ્યે સભામંડપમાં બાર સભા હોય છે, તેમાં મુનિ, આર્થિક, શ્રાવક, શ્રાવિકા, દેવ, દેવી, તિર્યંચ બેસે છે. પ્રભુના અનેક અતિશય પ્રગટ થાય છે. સભામંડપની મધ્યમાં ત્રણ પીઠ ઉપર ગંધકુટિની વચ્ચે સિંહાસન પર ન કમલાસન ઉપર પ્રભુ અંતરીક્ષ બિરાજે છે. અને આઠ પ્રાતિહાર્ય યુક્ત હોય છે. વાણી ખરે છે. તેને સાંભળીને ગણધર દ્વાદશાંગ શાસ્ત્ર રચે છે આવો કેવળ કલ્યાણકનો ઉત્સવ ઇન્દ્ર કરે છે, પછી પ્રભુ વિહાર કરે છે, તેનો મોટો ઉત્સવ દેવ કરે છે. નિર્વાણ કલ્યાણક- કેટલાક સમય પછી આયુષ્યના થોડા દિવસો બાકી રહેતા યોગનિરોધ કરી અઘાતિકર્મનો નાશ કરી મોક્ષ પધારે છે. ત્યારબાદ શરીરનો સંસ્કાર કરી ઇન્દ્ર ઉત્સવ સહિત “નિર્વાણ કલ્યાણક” મહોત્સવ કરે છે. આ પ્રકારે તીર્થંકર પંચકલ્યાણકની પૂજા પ્રાપ્ત કરી અરિહંત થઈ નિર્વાણ પ્રાપ્ત થાય છે એમ જાણવું. ૪૧ (૧૧) હવે “પ્રવજ્યા” નું નિરૂપણ કરે છે. તેને દીક્ષા (પણ) કહે છે. પ્રથમ જ દીક્ષાને યોગ્ય સ્થાન વિશેષને તથા દીક્ષા સહિત મુનિ જ્યાં બિરાજે છે તેનું સ્વરૂપ કહે છે सुण्णहरे तरुहिढे उज्जाणे तह मसाणवासे वा। गिरिगुह गिरिसिहरे वा भीमवणे अहव वसिते वा।। ४२।। 'सवसासत्तं तित्थं वचचइदालत्तयं च वुत्तेहिं। जिणभवणं अह वेज्झं जिणमग्गे जिणवरा विति।।४३।। ૧ સંસ્કૃતપ્રતિમાં સવસા' ‘સતું' એવા બે પદ કર્યા છે. જેનું સંસ્કૃત સ્વવશ ‘સત્ત્વ' લખ્યું છે. ૨ “વફાનત્ત' એનાં પણ બે જ પદ કર્યા છે ‘વવ:' ચૈત્યાના Please inform us of any errors on [email protected]
SR No.008210
Book TitleAshtapahuda
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy