SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ચારિત્રપાહુડ ) ૭૧ મન-વચન-કાયાથી સારું જાણીને સ્તુતિ કરવી, સેવા અર્થાત્ ઉપાસના-પૂજનાદિ કરવા અને શ્રદ્ધા કરવી. આ પ્રકારે જ્ઞાનમાર્ગને યથાર્થ જાણતો જે પુરુષ છે તે જિનમતની શ્રદ્ધારૂપ સમ્યકત્વને છોડતો નથી. ભાવાર્થ - જિનમતમાં ઉત્સાહ-ભાવના, પ્રશંસા, સેવા, શ્રદ્ધા જેને હોય છે તે સમ્યકત્વથી યુત થતો નથી. ૧૪ હવે અજ્ઞાન, મિથ્યાત્વ, કુચારિત્ર ત્યાગવાનો ઉપદેશ આપે છે: अण्णांणं मिच्छत्तं वज्जह णाणे विसुद्धसम्मत्ते। अह मोहं सारंभं परिहर धम्मे अहिंसाए।।१५।। अज्ञानं मिथ्यात्वं वजय ज्ञाने विशुद्धसम्यक्त्वे। अथ मोहं सारंभं परिहर धर्मे अहिंसायाम्।।१५।। અજ્ઞાન ને મિથ્યાત્વ તજ, લહી જ્ઞાન, સમકિત શુદ્ધને; વળી મોહ તજ સારંભ તું, લહીને અહિંસાધર્મને. ૧૫ અર્થ:- આચાર્ય કહે છે કે, હે ભવ્ય! તું જ્ઞાન થતાં અજ્ઞાનનો ત્યાગ કર, વિશુદ્ધ સમ્યકત્વ થતાં મિથ્યાત્વનો ત્યાગ કર અને અહિંસા લક્ષણ ધર્મ થતાં આરંભ સહિત મોહને પરિહર. ભાવાર્થ- સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની પ્રાપ્તિ થતાં ફરીને મિથ્યાદર્શન, જ્ઞાન, ચારિત્રમાં પ્રવર્તે નહિ એ પ્રકારે ઉપદેશ છે. ૧૫ હવે ફરી ઉપદેશ કરે છે: पव्वज्ज संगचाए पयट्ट सुतवे सुसंजमे भावे। होइ सुविसुद्धझाणं णिम्मोहे वीयरायत्ते।। १६ ।। प्रव्रज्यायां संगत्यागे प्रवर्तस्व सुतपसि सुसंयमे भावे। भवति सुविशुद्धध्यानं निर्मोहे वीतरागत्वे।। १६ ।। નિઃસંગ કહી દીક્ષા, પ્રવર્ત સુસંયમ, સત્તપ વિષે; નિર્મોહ વીતરાગત હોતાં ધ્યાન નિર્મળ હોય છે. ૧૬ અર્થ - હે ભવ્ય! તું સંગ અર્થાત્ પરિગ્રહનો ત્યાગ જેમાં હોય એવી દીક્ષા ગ્રહણ કરી અને સારી રીતે સંયમ સ્વભાવરૂપ થઈને સમ્યફપ્રકારે તપમાં પ્રવર્તન કર. જેથી તેને મોહ રહિત વીતરાગપણું થવાથી નિર્મળ ધર્મ-શુકલધ્યાન થાય. ૧ સારંભ = આરંભયુક્ત. Please inform us of any errors on [email protected]
SR No.008210
Book TitleAshtapahuda
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy